Amreli jilla na gk question : અહીં અમરેલી જિલ્લાના મહત્વપૂર્ણ વન-લાઇનર જનરલ નોલેજના પ્રશ્નો આપવામાં આવ્યા છે.
Amreli jilla na gk question
01). અમરેલી જિલ્લાની રચના કયારે થઈ હતી ? : 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપનાની સાથે
02). અમરેલી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 11 તાલુકા (અમરેલી, લાઠી, ધારી. બાબરા, લીલીયા. કુંકાવાવ, ખાંભા, રાજુલા, સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ)
03). અમરેલીનું પ્રાચીન નામ જણાવો ? : અમરાવલી
04). ગુજરાતના કયા મુખ્યમંત્રીનું જન્મસ્થળ અમરેલી છે ? : ડો. જીવરાજ મહેતા
05). અમરેલી જિલ્લાની ઉત્તરે કયા કયા જિલ્લા આવેલા છે ? : બોટાદ અને રાજકોટ
06). અમરેલી જિલ્લાની પૂર્વમાં કયો જિલ્લા આવેલા છે ? : ભાવનગર
07). અમરેલી જિલ્લાની ઉત્તરે કયા કયા જિલ્લા આવેલા છે ? : બોટાદ અને રાજકોટ
08). અમરેલી જિલ્લાની પશ્ચિમે કયા કયા જિલ્લા આવેલા છે ? : જુનાગઢ અને ગીર-સોમનાથ
09). અરબસાગર અમરેલી જિલ્લાની કઈ બાજુ આવેલો છે ? : દક્ષિણમાં
10). અમરેલી શહેર કઈ નદીના કિનારે આવેલું છે ? : થેબી
11). ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું બંદરનું નામ જણાવો ? : પીપાવાવ (1998થી)
12). અમરેલીના કયા તાલુકાની ભેંસ જાણીતી છે ? : જાફરાબાદ
13). વજન માટે ત્રાજવા અને વજનિયા અમરેલી જિલ્લાના કયા તાલુકાના વખણાય છે ? : સવારકુંડલા
14). અમરેલી જિલ્લામાં કઈ ટેકરીઓ આવેલી છે અમે તેનું સૌથી ઊંચુ શિખર કયું છે ? : ગીરની ટેકરી, સરકલા તેનું સૌથી ઊંચુ શિખર છે.
15). અમરેલી જિલ્લામાં કેટલા બેટ આવેલા છે અને કયા કયા : ત્રણ બેટ 1). શિયાળ બેટ 2). સવાઇ બેટ 3). ચાંય બેટ
16). ખાંભા કઈ નદીના કિનારે આવેલું છે ? : ઘાતરવાડી નદીના કાંઠે
17). અમરેલી જિલ્લામાં આવેલા બંદરના નામ આપો : 1). જાફરાબાદ 2). પીપાવાવ 3). કોટડા 4). ધારા
18). ધારી પાસે ખોડિયાર માતાના મંદિર પાસે ખોડિયાર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ? : શેત્રુંજી નદી
19). અમરેલીમાં આવેલી ડેરીનું નામ જણાવો ? : ચલાલા ડેરી
20). અમરેલી કયું ભરત ગુજરાતભરમાં જાણીતું છે ? : કાઠી ભરત
21). અમરેલી જિલ્લામાં આવેલ તળાવના નામ જણાવો : 1). પંચકુંડ 2). ગોપી તળાવ
22). કવિ કલાપીનો મહેલ અમરેલી જિલ્લાના કયા તાલુકામાં આવેલો છે ? : લાઠી
23). અમરેલીમાં આવેલું સંગ્રહાલય કયું છે ? : ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય
24). ‘ગ્રાસ લેન્ડ રિસર્સ સ્ટેશન’ અમરેલીના કયા તાલુકામાં આવેલું છે ? : ધારી
25). પીપાવાવ બંદરનું જૂનું નામ જણાવો : પોર્ટ આલ્બર્ટ વિકટર
26). અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કયા લોકોની વસ્તી સૌથી વધારે છે ? : સીદી
27). સીદીઓનું કયું નૃત્ય જાણીતું છે ? : ધમાલ નૃત્ય
28). અમરેલી જિલ્લાનું ચાવંડ કયા કાવ્ય સર્જકની જન્મભૂમિ છે ? : મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)
અમરેલી જિલ્લાની વિસ્તૃતમાં માહિતી 👉 | click here |