Anand jilla na Gk question : અહીં આણંદ જિલ્લાના મહત્વપૂર્ણ જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો આપવામાં આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
Anand jilla na Gk question
1). આણંદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 8 (આણંદ, તારાપૂર, આંકલાવ, પેટલાદ, બોરસદ, ખંભાત, ઉમરેઠ સોજીત્રા)
2). આણંદ જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : ખેડા જિલ્લો
3). આણંદ જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : વડોદરા જિલ્લો
4). આણંદ જિલ્લાની દક્ષિણે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : ભરુચ જિલ્લો અને ખંભાતનો અખાત
5). આણંદ જિલ્લાની પશ્ચિમે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : અમદાવાદ
6). ગુજરાતમાં વસ્તી ગીચતાની દ્રષ્ટિએ આણંદનું સ્થાન ? : ત્રીજું
7). એશિયા ખંડની સૌથી મોટી ડેરી કયા આવેલી છે ? : આણંદ (અમુલ)
8). ગુજરાતની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ કયા શરૂ થઈ હતી ? : વલ્લભ વિદ્યાનગર (આણંદ)
9). આણંદમાં આવેલ વાસદનું શું જાણીતું છે ? : તુવેરદાળ
10). ઉમરેઠ શેના માટે જાણીતું છે ? : અસ્ત્રા
11). ગુજરાતમાં તળાવ દ્વારા સિંચાઇ કયા જિલ્લામાં થાય છે ? : આણંદ અને ખેડા
12). અમદાવાદ અને આણંદ જિલ્લા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ? : સાબરમતી
13). વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ? : મહી
14). આણંદમાં કેટલા બંદરો આવેલા છે ? : એક (ખંભાત)
15). તમાકુના પાક માટે જાણીતો ચરોતર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે ? : આણંદ
16). આણંદ જિલ્લામાંથી કુદરતી ગેસ અને ખનીજ તેલ ક્યાથી મળે છે ? : લુણેજ અને ખંભાતના અખાતમાંથી
17). ખંભાતમાં કઈ વાવ આવેલી છે ? : જ્ઞાનવાળી વાવ
18). સરદાર પટેલ યુનિવર્સિટી કયા આવેલી છે ? : વલ્લભ વિદ્યાનગર (આણંદ)
19). આણંદ જિલ્લામાં આવેલા રિસર્ચ સ્ટેશન : (1) ટોબેકો રિસર્ચ સ્ટેશન (ધર્મજ) (2) બીડી તમાકુ સંશોધન કેન્દ્ર (3) લાઈવ સ્ટોક રિસર્ચ સ્ટેશન
20). આણંદ શહેર કોણે વસાવ્યું હતું ? : આનંદગીર ગોસાઇ (9મી સદી)
21). વિદ્યાનગરી થી ઓળખાતું શહેર ? : વલ્લભ વિદ્યાનગર
22). અમુલ ડેરીની સ્થાપના કોની મદદથી થઈ હતી ? : યુનિસેફ
23). બહુચરાજી, તોરણમાતા, ફૂલમાતા, મહાકાળેશ્વરનું શિવાલય તથા નારાયણ દેવાના મંદિરો આણંદ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે ? : બોરસદ
24). સરદાર પટેલની કર્મ અને જન્મ ભૂમિ ? : કરમસદ
25). ખંભાતનું પ્રાચીન નામ ? : સ્તંભપૂર/સ્તંભતીર્થ
26). વહોરાઓનું યાત્રાધામ ‘કાકાની કબર’ કયા આવેલી છે ? : ખંભાત
27). આણંદ જિલ્લામાં આવેલું ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ? : ધૂવારણ
28). ખંભોળજમાં ‘નિરાધારોની માતા’ અને ‘આરોગ્ય માતા’ નું ધામ છે જે કયા ધર્મના લોકોનું છે ? : ખ્રિસ્તી
29). સ્વામિનારાયણ સંસ્થા BAPSનું મુખ્ય મથક ? : બોચાસણ(આણંદ)
30). ‘બુચેશ્વર મહાદેવ’ ના નામ પરથી કયા ગામનું નામ પડ્યું છે ? : બોચાસણ
31). આણંદ જિલ્લામાં આવેલી ‘અડાસ’ની ભૂમિ શેના માટે જાણીતી હતી ? : ઐતિહાસિક લડાઈની યુદ્ધ ભૂમિ તરીકે
32). બ્રિટિશ સરકારની ગોળીબારથી પાંચ નિર્દોષ યુવાનો શહિદ થયા હતા જયા આજે તેમના સ્મૃતિસ્તંભ છે. તે કયા આવેલા છે ? : અડાસ
33). સરદાર પટેલ રિન્યૂએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ કયા આવેલું છે ? : વલ્લભ વિદ્યાનગર
34). અમુલની સ્થાપના કયારે થઈ ? : 14 ડિસેમ્બર 1964
35). આણંદ જિલ્લામાં પસાર થતો રાષ્ટ્રીય ઘોરી માર્ગ ? : 48 (નવો નંબર -1)
36). આર્કિયોલોજિકલ મ્યુઝિયમ કયા આવેલું છે ? : ખંભાત
37). આણંદ જિલ્લાના વડતાલ ખાતે કયા સંપ્રદાયનું ભવ્ય મંદિર આવેલું છે ? : વડતાલ
38). નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA) નું વડુ મથક ? : આણંદ
આણંદ જિલ્લાની વિસ્તૃત માહિતી વાંચવા 👉 | click here |