– અશોકના શિલાલેખથી અશોકનું સામ્રાજ્ય વિસ્તાર, અશોકનો ધર્મ, વિદેશી સબંધ, રાજય વહીવટ, અશોકનું ચરિત્ર, કળા અને શિક્ષાનો પ્રચાર અને તે સમયની સામાજિક અવસ્થાની જાણકારી મળે છે.
– અશોકે “ધમ્મ” (ધર્મ)ને નૈતિકતાથી જોડી દીધું આના પ્રચાર-પ્રસાર માટે તેને શિલાલેખને કોતરવ્યા હતા.
– ભારતમાં શિલાલેખનું પ્રચલન સૌપ્રથમ અશોક એ જ કર્યું હતું.
– અશોકના શિલાલેખની શોધ ઇ.સ 1750મા “પાન ફેન્થેલર” એ કરી હતી.
– ગુજરાતમાં મૌર્ય સામનો સૌથી મહત્વનો શિલાલેખ એટેલે કે ગિરનાર પાસેનો અશોકનો શિલાલેખ.
– બ્રાહ્મી લિપિમાં લખાયેલો આ શિલાલેખ કર્નલ ટોડે ઇ.સ 1822માં સૌપ્રથમ શોધ્યો હતો.
– અશોકના શિલાલેખ વાંચવામાં સફળતા સૌપ્રથમ ઇ.સ 1837માં “જેમ્સ પ્રિન્સેસ” ને મળી હતી. ત્યારબાદ “પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી” એ સુધારા વધારા સાથેની તેની શુદ્ધ પ્રત તૈયાર કરી.
– રાજા અશોકનો આ શિલાલેખ એ “ગુજરાતના સૌથી પ્રાચીન જ્ઞાત શિલાલેખ” છે.
– વર્તમાન ભારતની રાજમુદ્રા તરીકે પ્રખ્યાત “અશોકચક્ર” એ જ અશોકે ઊભા કરવેલા સ્તંભનું જ શીર્ષક છે.
– આ શિલાલેખની વિશિષ્ટતાઓ એ છે કે, તેની ઉપર માત્ર મહાન મૌર્ય સમ્રાટ અશોકની જ અજ્ઞાઓ કોતરાયેલી નથી. પરંતુ તેની પછી 450 વર્ષ પછી શકક્ષત્રપ “રુદ્રદામન” અને તેની પછી 300 વર્ષ પછી ગુપ્ત સમ્રાટ “સ્કંદગુપ્ત” (ઇ.સ 446) લેખો પણ આ એક શીલા ઉપર કોતરાયેલા છે.
– આમ, 7 સદીથી પણ વધુ સમયને આ શિલાલેખ સાંકળે છે.
– અશોકનો શિલાલેખ “પ્રાકૃત” ભાષામાં, રુદ્રદામા અને સ્કંદગુપ્તના લેખ “સંસ્કૃત” ભાષામાં છે.
– આ લેખો ભારતની પ્રાચીન “ બ્રાહ્મી” લિપિમાં છે જેમનું ક્રમશ પરીવર્તન થતાં તેમાંથી ગુજરાતી, દેવનાગરી, બંગાળી વગેરે લિપીઓ જન્મી.
– અશોકના પૌત્રનું નામ “સંપ્રતિ” હતું સંપ્રતિ “જૈન ધર્મનો” અનુયાયી હતો.
– ગિરનાર પરનું મહાવીર મંદિરનુ સ્થળ “સંપ્રતિની ટૂંક” તરીકે ઓળખાય છે.
– અંતિમ મૌર્ય રાજા “બૃહદ્રથ” હતો, પરંતુ તેનું ગુજરાતમાં કોઈ પ્રમાણ મળતું નથી.
Ashok shilalekh junagadh in gujarati : : Gujarat no itihas : : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, Talati and all competitive exam.