ઇ.સ 1927માં બાલકૃષ્ણ દોષીનો જન્મ પુણેમાં થયો હતો.
ચંદીગઢ અને ગાંધીનગરના વિકાસમાં બાલક્રુષ્ણ દોશીનો અનન્ય ફાળો છે. તેઓ હમેંશા સુનિયોજીત શહેર, રસ્તા અને મકાનો માટે સંશોધન કાર્ય કરતા હતા.
તેમના પ્રયાસોથી અમદાવાદ “સ્કૂલ ઓફ આર્કિટેકચર” આજે ભારતભરમાં પ્રખ્યાત છે. અમદાવાદમાં આવેલા ‘સંસ્કાર કેન્દ્ર’ ના નિર્માણમાં પણ તેમનો અનન્ય ફાળો રહેલો છે.
વર્ષ 2018માં પ્રિત્ઝકર આર્કિરેકચર એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય આર્કિટેકટ હતા.
તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
બાલક્રુષ્ણ દોશીએ ‘વાસ્તુશિલ્પ’ નામની સંસ્થા સ્થાપી હતી.
બાલક્રુષ્ણ દોશી દોશીનું તા. 24/01/2023ના રોજ 95 વર્ષની ઉંમરે નિધન થયું છે.
તેમણે ડિઝાઇન કરેલ પ્રખ્યાત ઇમારતો
ઇમારત | સ્થળ |
---|---|
ઈ સી આઈ એલ ટાઉનશીપ : | હૈદ્રાબાદ |
સંગત, બી વી દોશીની ઑફીસ | અમદાવાદ |
સેપ્ટ યુનિવર્સીટી (CEPT) | અમદાવાદ |
ઈંડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટ | બેંગ્લોર |
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ફેશન ટેકનોલોજી | દીલ્હી |
અમદાવાદની ગુફા | અમદાવાદ |
અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ | ઈંદોર |
ઈફ્કો ટાઉનશીપ | કલોલ |
સવાઈ ગાંધર્વ | પુના |
પ્રેમાભાઇ હૉલ | અમદાવાદ |
ટાગોર મેમોરિયલ હૉલ | અમદાવાદ |
વિધ્યાધર નગર | જયપુર |
ઈંડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટ | લખનૌ |
ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઈંડોલોજી | અમદાવાદ |
આ પણ વાંચો :