Bandharan sudhara list in gujarati : અહીં અત્યાર સુધીમાં થયેલા બંધારણીય સુધારાની યાદી આપવામાં આવી છે. અહી ફકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સુધારાનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષા સંબધિત તમામ વિષયનું ફ્રી મટરિયલ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Bandharan sudhara list in Gujarati
Bandharan sudhara list in gujarati : અહીં બંધારણીય સુધારા નંબર સુધારા થયા વર્ષ અને સુધારા સંબધિત વિસ્તૃત માહિતી દર્શાવી છે.
1લો બંધારણીય સુધારો (1951)
>> અનુચ્છેદ -15(4) ઉમેરવામાં આવ્યો.
>> અનુચ્છેદ -31(A) અને 31 (B) ઉમેરાયા
>> 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી.
>> અભિવાયક્તિની સ્વતંત્રતા પર અંકુશ મુક્તિ જોગવાઈ ઉમેરવામાં આવી. (લોક વ્યવસ્થા અને વિદેશ મૈત્રીને ધ્યાનમાં લઈ)
4થો બંધારણીય સુધારો (1955)
>> ખાનગી સંપતિની ફરજિયાત પ્રાપ્તિ બદલ આપવામાં આવેલ વળતરને અદાલતના અધિકારક્ષેત્રથી બાકાત રાખવામા આવ્યું.
>> રાજયને કોઈપણ વેપારનું રાષ્ટ્રીયકરણ કરવાની સત્તા આપવામાં આવી.
07મો બંધારણીય સુધારો (1956)
>> રાજય પુનગર્ઠન આયોગનો અહેવાલ લાગુ કરવામાં માટે આ સુધારો કરવામાં આવ્યો હતો.
>> રાજયનું ચાર વર્ગોમાં વર્ગીકરણ (A,B,C અને D) સમાપ્ત કરી 14 રાજયો અને 06 કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરવામાં આવી.
>> ઉચ્ચ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રનો કેન્દ્રશાસિત પ્રદેશો ઉપર વિસ્તાર કરાયો.
>> બે કે તેથી વધુ રાજયો માટે એક ઉચ્ચ-ન્યાયાલયની સ્થાપના માટેની જોગવાઈ કરાઇ.
>> ઉચ્ચ ન્યાયાલયમાં વધારાના અને કાર્યકારી ન્યાયધીશોની નિમણૂક માટેની વ્યવસ્થા
09મો બંધારણીય સુધારો (1960)
>> પશ્ચિમ બંગાળનો બેરુબારી પ્રદેશ પાકિસ્તાનને આપવામાં આવ્યો.
24મો બંધારણીય સુધારો (1971)
>> મૂળભૂત અધિકારો સહિત સંસદને બંધારણમાં કોઈપણ ભાગમાં સુધારા કરવાની સત્તા આપવામાં આવી.
>> બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિએ ફરજિયાત મંજૂરી આપવી, તેવી જોગવાઈ કરાઇ.
>> ગોલકનાથવાદથી ઉત્પન્ન થયેલા વિવાદોનું સમાધાન કરવા આ બંધારણીય સુધારો કરવામાં આવ્યો છે.
>> કેશવાનંદ ભારતીવાદમાં સુપ્રીમ કોર્ટે આ બંધારણીય સુધારાને માન્ય રાખ્યો હતો.
25મો બંધારણીય સુધારો (1971)
>> અનુચ્છેદ -31(c) ઉમેરવામાં આવ્યો અને મિલકતના મૂળભૂત અધિકારોમાં ઘટાડો કરવામાં આવ્યો.
>> અનુચ્છેદ-39(B) અને (C) અમલમાં લાવવા માટે બનાવેલ કોઈ વિધિને તે અનુચ્છેદ-14, 19 અને 13નું ઉલ્લંઘન કરે છે તે આધારે ન્યાયાલયમાં પડકારી શકાશે નહિ.
26મો બંધારણીય સુધારો (1971)
>> દેશી રજવાડાને આપવામાં આવતા સલિયાણા (પ્રિવિપર્સ) બંધ કરી દેવાયા.
35 મો બંધારણીય સુધારો (1974)
>> સિક્કિમ માટે ‘રક્ષિત રાજય’ નો દરજ્જો સમાપ્ત કરી. તેને ભારત સંઘમાં સહરાજયનો દરજ્જો આપવામાં આવ્યો.
>> સિક્કિમના જોડાણ અંગેની સેવા શરતો દર્શાવતી 10મી અનુસૂચિ ઉમેરાય.
36મો બંધારણીય સુધારો (1975)
>> સિક્કિમને ભારત સંઘમાં પૂર્ણ રાજયનો દરજ્જો આપવામાં આવ્યો.
>> 10મી અનુસૂચિ રદ કરવામાં આવી.
42મો બંધારણીય સુધારો (1976)
>> આ સુધારાને લઘુ સંવિધાન (Mini constitution) તરીકે ઓળખવામાં આવ્યો છે.
>> આ સુધારા અંતર્ગત 52 અનુચ્છેદમાં સુધારો કરવામાં આવ્યો. જેમાં મોટા ભાગના સુધારા “સ્વર્ણસિંહ સમિતિ” ની સલાહ મુજબ કરાયા.
>> આમુખના ત્રણ શબ્દો ઉમેરાયા : 1). સમાજવાદી 2). બિન સાંપ્રદાયિક 3). અખંડિતા
>> અનુચ્છેદ : 51(A) મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી.
>> કેબિનેટની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવાઇ (અનુચ્છેદ-74)
>> વહીવટી ટ્રિબ્યુનલો અને અન્ય બાબતો માટે ભાગ-14 ઉમેરવામાં આવ્યો.
>> બંધારણીય સુધારાને ન્યાયિક સમિક્ષાથી બાકાત રખાયા.
>> 1971ની વસ્તી ગણતરીના આધાર પર લોકસભા અને વિધાનસભાની બેઠકોને 2011 સુધી સ્થગિત કરાઇ.
>> લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારી 6 વર્ષ કરાયો.
>> સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના રીટ અધિકાર ક્ષેત્રમાં ઘટાડો કરવામાં આવ્યો.
અનુસૂચિ-7ના પાંચ વિષયોને રાજયયાદીમાંથી સંયુક્તયાદીમાં ખસેડાયા
1). શિક્ષણ
2). વન
3). વન્યજીવો અને પક્ષીઓનું સંરક્ષણ
4). માપતોલ
5). HC અને SC ને બાદ કરતાં બાકીની અદાલતની સ્થાપના
>> રાષ્ટ્રપતિ ઈચ્છે તો દેશના કોઈ એક ભાગ વિશેષમાં અનુચ્છેદ-352 અંતર્ગત કટોકટીની જાહેરાત કરી શકે છે.
>> અખિલ ભારતીય ન્યાયિક સેવાની રચના માટેની જોગવાઈ કરાઇ.
>> રાજયમાં રાષ્ટ્રપતિ શાસન એકવખતમાં 6 મહિનાથી વધારી 1 વર્ષનું કરી દેવાયું.
>> રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટેના કાયદાઓને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના આધારે કોર્ટમાં પડકારી શકાશે નહિ.
>> સંસદ અને રાજય વિધાનમંડળમાં કોરમની જોગવાઈ રદ્દ કરવામાં આવી.
>> રાજયમાં કાયદો અને વ્યવસ્થા અંગેની ગંભીર પરિસ્થિતીને નિયંત્રણમાં લેવા કેન્દ્રને કોઈપણ રાજયમાં પોતાના સશસ્ત્ર દળો મોકલવાની સત્તા અપાઈ.
>> સંસદને સંસદસભ્યો અને સમિતિઓના વિશેષાધિકાર નક્કી કરવાની સત્તા અપાઈ.
>> લાભના હોદ્દાનો નિર્ણય સંસદ દ્વારા કરવામાં આવશે.
>> શિક્ષા સામે રજૂઆત કરવાના મુલ્કી સેવકના અધિકારને નાબૂદ કરાયો.
44મો બંધારણીય સુધારો (1978)
>> લોકસભા અને વિધાનસભાના કાર્યકાળને 5 વર્ષ કરાયો.
>> સંસદ અને રાજય વિધાનમંડળની કોરમની જોગવાઈ પુન: સ્થાપિત કરવામાં આવી.
>> સંસદના વિશેષાધિકારો માંથી બ્રિટિશ ‘હાઉસ ઓફ કૉમન્સ’ નો ઉલ્લેખ રદ કરવામાં આવ્યો.
>> આર્ટીકલ : 352માં “આંતરિક અશાંતિ” ને બદલે “સશસ્ત્ર બળવો” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. કટોકટી મંત્રીમંડળની લેખિત સલાહથી જ જાહેર કરી શકાશે.
>> રાષ્ટ્રપતિને મંત્રીમંડળની સલાહને એક વાર પુન: વિચારણા માટે મોકલવાની સત્તા આપી. પણ બીજી વારની સલાહ બાધ્ય રહેશે.
>> રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લોકસભાના સ્પીકરની ચૂંટણીના વિવાદ બાબતો ન્યાયાલયની સત્તાની પુન: સ્થાપના.
>> સંસદ અને રાજય વિધાનમંડળની કાર્યવાહીના વાસ્તવિક અહેવાલોના સમચારપત્રોમાં પ્રકાશનને બંધારણીય રક્ષણ અપાયું.
>> રાષ્ટ્રીય કટોકટી વખતે આર્ટીકલ 20 અને 21 મોકૂફ કરી શકાશે નહીં.
>> મિલકતના મૂળભૂત અધિકારને રદ કરી તેને કાયદાકિય અધિકાર બનાવાયો.
52મો બંધારણીય સુધારો (1985)
>> પક્ષપલ્ટા વિરોધી કાયદો : જો સંસદ કે વિધાનમંડળનો કોઈ સભ્ય પક્ષ બદલે છે તો તેને ગેરલાયક જાહેર કરી શકશે.
61મો બંધારણીય સુધારો (1989)
>> અનુચ્છેદ : 326માં સુધારો કરી પુખ્ત મતાધિકારની વયમર્યાદા ઘટાડી 21માંથી 18 વર્ષ કરવામાં આવી.
65મો બંધારણીય સુધારો (1990)
>> SC અને ST માટેના વિશેષ ઓફિસરની જોગવાઈની જગ્યાએ SC અને ST માટેના રાષ્ટ્રીય પંચની જોગવાઈ કરાઇ.
69મો બંધારણીય સુધારો (1991)
>> દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશને ‘નેશનલ કેપિટલ ટેરીટરી ઓફ દિલ્હી’ બનાવી તેને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો.
>> તે ઉપરાંત 70 સભ્યોની વિધાનસભા અને 7 સભ્યોના બનેલા મંત્રીપરિષદની જોગવાઈ કરાઇ.
73મો બંધારણીય સુધારો (1992)
>> પંચાયતી રાજ સબંધિત ભાગ-9 ઉમેરવામાં આવ્યો, જેમાં અનુચ્છેદ-243માં પેટા અનુચ્છેદ તેમજ 11મી અનુસૂચિ ઉમેરવામાં આવી.
74મો બંધારણીય સુધારો (1992)
>> નગરપાલિકા સંબધિત ભાગ-9 (A) ઉમેરવામાં આવ્યો.
>> જેમાં આર્ટીકલ-243માં પેટા આર્ટીકલ અને 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી.
86મો બંધારણીય સુધારો (2002)
>> બંધારણના ભાગ-3માં ‘શિક્ષાનો અધિકાર’ જોડવામાં આવ્યો.
>> અનુચ્છેદ : 21 (A) જોડવામાં આવ્યો : “6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ”
>> અનુચ્છેદ 45માં બદલાવ કરવામાં આવ્યો : “રાજયએ ત્યાં સુધી બાળકોની પ્રાથમિક સંભાળ અને શિક્ષણની વ્યવસ્થા કરવી પડશે જ્યાં સુધી તે 6 વર્ષના ન થાય”
>> અનુચ્છેદ : 51 (A)માં 11મી મૂળભૂત ફરજ જોડવામાં આવી. : “6 થી 14 વર્ષ સુધીનાં બાળકોને તેમના માતા-પિતા અથવા વાલી શિક્ષણ અપાવશે.
89મો બંધારણીય સુધારો (2003)
>> SC અને ST માટેના રાષ્ટ્રીયપંચને બે પંચોમાં વિભાજન કરાયું.
>> અનુચ્છેદ : 338 હેઠળનો રાષ્ટ્રીય અનુસુચિત જાતિપંચ અને અનુચ્છેદ: 338(A) હેઠળનો રાષ્ટ્રીય અનુસુચિત આદિજાતિ પંચ.
>> બંને પંચની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.
91મો બંધારણીય સુધારો (2003)
>> મંત્રી પરિષદનું કદ લોકસભા અને વિધાનસભાની કુલ સંખ્યાનાં વધુમાં વધુ 15% સુધી જ >> મર્યાદિત કરી દેવામાં આવ્યું. પરંતુ જ્યાં વિધાનસભાની સભ્ય સંખ્યા 40 અથવા તેનાથી ઓછી છે તેમાં મંત્રીપરિષદની સંખ્યા વધુમાં વધુ 12 રાખી શકશે.
>> દસમી અનુસૂચિમાં સુધારો કરી પક્ષાંતર ધારો વધુ કડક બનાવાયો.
97 બંધારણીય સુધારો (2011)
>> સહકારી સમિતિ (કો-ઓપરેટિવ સોસાયટી) ઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો.
>> સહકારી સમિતિઓ સબંધી અનુચ્છેદ : 19(1)માં નવો મૂળભૂત અધિકાર ઉમેરાયો.
>> સહકારી સમિતિઓ સંબધી નવો રાજયનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત અનુચ્છેદ : 43(B) ઉમેરાયો.
>> આ ઉપરાંત સહકારી સમિતિઓ માટે નવો ભાગ, ભાગ : 9(B)ઉમેરાયો જેમાં અનુચ્છેદ-243(ZH) થી અનુચ્છેદ -243 (ZT) ઉમેરાયા.
99મો બંધારણીય સુધારો (2014)
>> સુપ્રીમ કોર્ટ અને રાજ્યની હાઇકોર્ટના ન્યાયધીશોની નિમણૂક માટે કોલેજીયન પ્રણાલીને સ્થાને રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ (NJAC) ની નિમણૂક કરવામાં આવી.
>> આ સુધારો સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2015માં રદ કરવામાં આવ્યો છે.
100મો બંધારણીય સુધારો (2015)
>> ભારત-બાંગ્લાદેશ જમીન સરહદ કરાર વિશે.
101મો બંધારણીય સુધારો (2016)
>> ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્ષ વિશે (GST) જેમાં બંધારણમાં અનુચ્છેદ-256(A) ઉમેરી સંસદ અને રાજયવિધાન મંડળને GST સંબધિત કાયદો બનાવવાની સત્તા આપી.
102મો બંધારણીય સુધારો (2018)
>> અનુચ્છેદ-338 (B) ઉમેરી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો.
103મો બંધારણીય સુધારો (2019)
>> આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામત જોગવાઈ કરવામાં આવી. તે અંતર્ગત બંધારણમાં અનુચ્છેદ : 15(6) અને અનુચ્છેદ : 16(6) ઉમેરવામાં આવ્યો.
104મો બંધારણીય સુધારો (2019)
>> અનુચ્છેદ -334માં સુધારો કરી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે લોકસભા અને રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભામાં અનામત બેઠકોની વ્યવસ્થા 25 જાન્યુઆરી 2030 સુધી વધારવામાં આવી.
>> પરંતુ લોકસભા અને વિધાનસભામાં એંગ્લો ઇંડિયનની અનામત વ્યવયથા વધારવામાં આવી નહિ.
105 બંધારણીય સુધારો (2021)
>> દરેક રાજય સરકારને પોતાના અધિકાર ક્ષેત્રના અંતર્ગત એક અલગ SEBC (સામાજિક અને શૈક્ષણિક રીત પછાત) ની યાદી તૈયાર કરવાનો અધિકાર પ્રાપ્ત થયો.
>> આમ હવે કેન્દ્ર અને રાજયની SEBCની યાદી અલગ-અલગ રહેશે.
ભારતના બંધારણ સંબધિત અન્ય ટોપીક
👉 ભારતના બંધારણના મહત્વના અનુચ્છેદ |
👉 બંધારણ સભા |
👉 બંધારણીય માન્ય ભાષાની યાદી |
👉 વિધાન સભા અને વિધાન પરિષદ |
👉 સંસદમાં રજૂ થતાં વિવિધ પ્રસ્તાવ |