Dhiro Bhagat : કાફીના પિતા થી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ કવિ ધીરો ભગત વિશે માહિતી જેમાં તેની પ્રસિદ્ધ ક્રુતિ અને પંક્તિઓ પણ આપવામાં આવી છે.
Dhiro Bhagat
સમયગાળો : 1753 થી 1825
મૂળ નામ : ધીરા પ્રતાપ બારોટ
જન્મ સ્થળ : ગોઠડા (વડોદરા)
વખણાતું સાહિત્ય : કાફી
ઉપનામ : કાફીના પિતા
શિષ્ય : બાપુસાહેબ ગાયકવાડ
>> ધીરા ભગત શરૂવાતમાં ‘વૈષ્ણધર્મી’ હતા અને પાછળથી તેઓ ‘રામાનંદી’ બન્યા.
>> કવિ નર્મદે કાફીઓ વાંચીને સાહિત્ય લખવાની પ્રેરણા લીધી હતી.
>> ધીરાની કાફીનો વિષય સંસારની અને કાયાની નિરર્થકતા છે.
ધીરાની જાણીતી ક્રુતિ
1). રણઅજ્ઞ
2). અશ્વમેઘ
3). આત્મજ્ઞાન
4). જ્ઞાનબત્રીસી
5). જ્ઞાન કક્કો
6). સ્વરૂપ
7). હીરાની પરીક્ષા
8). દ્રૌપદી વસ્ત્રાહરણ
9). સુરતીબાઈ નો વિવાહ
10). માયાનો મહિમા
11). આત્મબોધ
12). મતવાદી
13). ગુરુ ધર્મ
14). શિષ્ય ધર્મ
ધીરા ભગતની પ્રસિદ્ધ પંક્તિઓ
1). તરણા ઓથે ડુંગર એ, ડુંગર કોઈ દેખે નહીં.
2). થાણદાર થનાર રે, થાણાને રાખો ઠેકાણે,
3). વાડો વાળી બેઠા રે, પોતાનો પંથ કરવાને
4). દુનિયા દિવાની રે, બ્રહ્માડ પ્રાખંડ પૂજે, કર્તા વસે પાસે રે, મૂરખને નવ સૂઝે
5). ખબરદાર ! મનસુબાજી, ખાંડાની ધારે ચઢવું છે.
6). રામ રાખે તેને કોણ ચાખે
7). કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર રે