Gyanpith puraskar in Gujarati : અહીં ભારત દેશનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ Gyanpith puraskar વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં વર્ષ 2020 અને 2021ના વર્ષના વિજેતા સાથે અત્યાર સુધી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ગુજરાતીઓની યાદી પણ આપવામાં આવી છે.
Gyanpith puraskar in Gujarati
તાજેતરમાં વર્ષ 2020 અને 2021 માટેના જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.
▶️ નીલમળિ ફૂકન જુનિયરને 2020ના વર્ષનો 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
>> નીલમળિ ફૂકન જુનિયરએ આસામી ભાષાના કવિ છે.
▶️ દામોદર મોઉજોને 2021ના વર્ષનો 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
>> દામોદર મોઉજો કોંકણી ભાષાના પ્રસિદ્ધ નવલકથાકાર છે.
જ્ઞાનપીઠ પુરસ્કાર વિશે
>> ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર છે. જે લેખકો/કવિને સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર ભારતીએ ભાષાના અને અંગ્રેજી ભાષામાં લખનારા ભારતીય લેખકોને આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા આપવામાં આવે છે.
>> ભારત સરકાર દ્વારા વર્ષ 1965થી આ પુરસ્કાર આપવામાં આવે છે.
>> જ્ઞાનપીઠ પુરસ્કાર શાંતિ પ્રસાદ જૈનના સ્મરણાર્થે આપવામાં આવે છે.
>> આ એવોર્ડ સ્વરૂપે 11 લાખ રૂપિયાની ધન રાશિ, સરસ્વતીની પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
>> સાહુ જૈન પરિવાર દ્વારા દાનની રકમ આપવામાં આવેલી હતી.
>> ઇ.સ 1965માં પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર જી. શંકર કરૂપ હતા. (ક્રુતિ : ઓડકકુઝલ, ભાષા : મલયાયમ)
>> પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર મહિલા આશાપુર્ણા દેવી હતા. (ક્રુતિ: પ્રતિશ્રુતિ, ભાષા : બંગાળી)
>> જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોષી છે. જેને તેની નિશીથ ક્રુતિ માટે આપવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ગુજરાતીઓ
સાહિત્યકાર | ક્રુતિ | સ્વરૂપ | વર્ષ |
---|---|---|---|
ઉમાશંકર જોષી | નિશીથ | કાવ્યસંગ્રહ | 1967 |
પન્નાલાલ પટેલ | માનવીની ભવાઇ | નવલકથા | 1885 |
રાજેન્દ્ર શાહ | ધ્વનિ | કાવ્યસંગ્રહ | 2001 |
રઘુવીર ચૌધરી | અમૃતા | નવલકથા | 2015 |
Read more