અહીં ગુજરાતી સાહિત્ય જગતના કુમાર માસિકમાં યોગદાન માટે આપતા કુમાર સુવર્ણ ચંદ્રક વિશે માહિતી આપવામાં આવી છે. અને 2020 વર્ષા વિજેતાની પણ યાદી આપેલ છે.
કુમાર સુવર્ણચંદ્રક
>> કુમાર ચંદ્રક આપવાની શરૂવાત વર્ષ 1944થી થઈ હતી.
>> આ એવોર્ડ કુમાર માસિકમાં યોગદાન માટે ગુજરાતી સાહિત્યકારને આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર કુમાર ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર આપવાની શરૂવાત કુમાર સામાયિકના લેખક યશવંત પંડ્યા દ્વારા કરવામાં આવી હતી.
>> વર્ષ 1944માં સૌપ્રથમ આ એવોર્ડ હરિપ્રસાદ દેસાઈને આપવામાં આવ્યો હતો.
>> કુમાર સુવર્ણ ચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર પ્રીતિ સેનગુપ્તા હતા. જેને વર્ષ 2006માં આપવામાં આવ્યો હતો.
>> વર્ષ 1948થી 2002 સુધી કુમાર સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો ન હતો ત્યારબાદ વર્ષ 2003થી આપવાનું ફરીથી શરૂ કરવામાં આવ્યો.
>> વર્ષ 2003માં રજનીશ કુમાર પંડ્યાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
>> ઇ.સ 1944 થી ઇ.સ 1983 સુધી આ પુરસ્કારનું નામ ‘કુમાર ચંદ્રક’ હતું પણ વર્ષ 2003થી તેનું નામ ‘કુમાર સુવર્ણચંદ્રક’ રાખવામા આવ્યું છે.
કુમાર સુવર્ણ ચંદ્રક 2020
>> તાજેતરમાં વર્ષ 2020નો કુમાર સુવર્ણચંદ્રક ડો. દર્શનાબેન ધોળકિયાને આપવામાં આવ્યો છે.
>> ડો. દર્શનાબેન ધોળકિયા ગુજરાતનાં મહિલા સાહિત્યકાર છે. અને તેઓ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે.
>> કુમાર સામાયિકમાં ડો. દર્શનબેન ધોળકિયાની પ્રગટ થયેલા ‘વિષયક લેખનમાળા’ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
Read more
👉 ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર |
👉 નરસિંહ મહેતા પુરસ્કાર |
👉 રણજીત રામ સૂવર્ણચંદ્રક |
👉 નર્મદ સુવર્ણચંદ્રક |
kumar suvarna chandrak : : gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.