ગુજરાતમાં ભરતા મેળામાં સૌથી મોટો મેળો અને ગુજરાતનો ભાતીગળ મેળા તરીકે પ્રખ્યાત એવા Tarnetar no melo વિશે આજે આપણે જાણીશું
તરણેતરનો મેળો
➡️ આ મેળો ભાદરવા સુદ 4-5-6ના દિવસે ભરાય છે.
➡️ તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર નામનાં ગામમાં ત્રીનેશ્વર મહાદેવના મંદિરે ભરાય છે.
➡️ તરણેતરનો મેળો જ્યાં ભરાય છે તે ત્રીનેશ્વર મહાદેવનું મંદિર લખપતનાં રાજવી કરણસિંહજીએ એમની પુત્રી કરણબાની યાદમાં ઇ.સ 1902માં બંધાવ્યું હતું.
➡️ આ સ્થળને પુરાતત્વ વિભાગ તરફથી રક્ષિત સ્થળ જાહેર કરવામાં આવ્યું છે.
➡️ તરણેતરનો મેળો ગુજરાતમાં ભરાતો એક સૌથી મોટો અને આકર્ષક મેળો છે. જ્યાં રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ સાથે થતો રાસ તરણેતરનો મેળાનું મુખ્ય આકર્ષણ છે.
➡️ આ મેળામાં ભરવાડ યુવક-યુવતીઓ ‘હુંડા’ નુત્ય કરે છે. તો કોળી સ્ત્રીઓ ‘તાળી રાસ’ રમે છે.
➡️ પૌરાણીક માન્યતા અને દંતકથા પ્રમાણે પાંડવપુત્ર અર્જુનને દ્રૌપતિ એ જ્યાં વરમાળા પહેરાવી એ મત્સ્યવેધ અને સ્વયંવર આ સ્થળે જ યોજાયો હતો.
➡️ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન આ મેળામાં કરવામાં આવે છે, જે રાજ્ય સરકાર દ્વારા થાય છે.
➡️ તરણેતરનો મેળા ને ગુજરાતનાં “ભાતીગળ મેળા” તરીકે પણ ઓળખવામાં આવે છે.
Read more