Jan Aushadhi Diwas 2023 : દર વર્ષે સમગ્ર ભારતમાં 7 માર્ચના રોજ ‘જન ઔષધિ દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસની પ્રથમ ઉજવણી 7 માર્ચ, 2019ના રોજ કરવામાં આવી હતી. વર્ષ 2023માં આપણે 5મો જન ઔષધિ દિવસ માનવી રહ્યા છીએ. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય જેનરિક દવાઓના ઉપયોગ વિષે વધુ પ્રોત્સાહન અને લોક જાગૃતિ લાવવાનો છે.
ભારત સરકાર દ્વારા 1 જુલાઇ, 2015ના રોજ જન ઔષધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સમગ્ર દેશમાં ‘જન ઔષધિ સ્ટોર’ બનાવવામાં આવ્યા હતા. આ સ્ટોર પર ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરિક દવાઓ બજાર કિંમત કરતાં 60% થી 70% જેટલી ઓછી કિંમતે મળી રહે છે. 31મી જાન્યુઆરી 2023 સુધીમાં જન ઔષધી કેન્દ્રોની સંખ્યા વધારીને 9 હજાર 82 કરવામાં આવી છે.
જેનરિક દવાને લોકપ્રિય બનાવવા માટે ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના’ શરૂ કરવામાં આવી છે.
ભારતનો કોઈપણ નાગરિક, હોસ્પિટલ, એન. જી. ઓ, ફાર્માસિસ્ટ કે ડોક્ટર જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે છે. દિવ્યાંગ વ્યક્તિ, અનુસુચિત જાતિ કે અનુસુચિત જનજાતિનો વ્યક્તિ જન ઔષધિ કેન્દ્ર ખોલે તો સરકાર તેને 50,000 રૂપિયાની મદદ કરે છે.
જન ઔષધિ દિવસ થીમ 2023 : જનઔષધિ સસ્તી પણ સારી પણ
આ પણ જુઓ :
FAQ:
વર્ષ 2023માં કેટલમો જન ઔષધિ દિવસ મનાવી રહ્યા છીએ?
વર્ષ 2023માં આપણે 5મો જન ઔષધિ દિવસ મનાવી રહ્યા છીએ.
જન ઔષધિ દિવસ 2023મી થીમ જણાવો?
જન ઔષધિ દિવસ 2023ની થીમ ‘જનઔષધિ સસ્તી પણ સારી’ પણ છે.