સુંદરમ, કોયા ભગત, મરીચિ જેવા ઉપનામથી જાણીતા ગાંધી યુગના ગુજરાતી સાહિત્યકાર ત્રિભુવનદાસ પુરુષોતમદાસ લુહાર વિશે આજે આપણે માહિતી મેળવીશું.
Table of Contents
ત્રિભુવનદાસ લુહાર (સુન્દરમ)
સમયગાળો : | 1908-1991 |
જન્મ : | 22 માર્ચ 1908 |
જન્મસ્થળ : | મિયામાતર (ભરુચ જિલ્લો) |
પુરુનામ : | ત્રિભુવનદાસ પુરુષોતમદાસ લુહાર |
મૃત્યુ : | 13 જાન્યુઆરી 1991 (82 વર્ષે) |
ત્રિભુવનદાસ લુહારના ઉપનામ
1). સુંદરમ
2). મરીચિ
3). ત્રિશુળ
4). ગાંધીયુગના મૂર્ધન્ય કવિ
5). કોયા ભગત
>> સુન્દરમે લેખનકાર્યની શરૂવાત ‘મરીચિ’ ના ઉપનામ થી કરેલી તેનું પ્રથમ કાવ્ય ‘એકાંશદે’ હતું.
>> ઇ.સ 1928માં ‘બારડોલી’ કાવ્ય સુંદરમના ઉપનામે પ્રગટ કરી ‘સુન્દરમ’ તરીકે ઓળખાયા.
>> સુન્દરમ ઉપનામ તેમણે ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ માં આવતું ગિરમિટિયા બાળસુન્દરમ માંથી પાછળનો સુન્દરમ ભાગ ઉપાડી લીધો.
>> સુન્દરમ અરવિંદ ઘોષના અનુયાયી હતા.તેઓ પોંડિચેરી રહેતા અને ‘દક્ષિણા’ સામાયિક ચલાવતા.
>> સુન્દરમે 1935 થી 1945 સુધી અમદાવાદની જ્યોતિસંઘ સંસ્થામાં સેવા આપી છે.
>> તેઓએ વર્ષ 1970માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે.
>> સુન્દરમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘કોયાભગતની કડવી વાણી’ છે.
>> સુન્દરમે ત્રિશુળ ઉપનામે ટૂંકીવાર્તાઓ લખી છે.
સુન્દરમને મળેલા પુરસ્કારો
1). પદ્મ વિભૂષણ
2). તારાગૌરી રૌપ્ય ચંદ્રક (મહાત્મા ગાંધીજીના હસ્તે)
3). મહિડા પુરસ્કાર (ઇ.સ 1946માં વિવેચન માટે મળ્યો હતો)
4). રણજીતરામ સુવર્ણચંદ્રક (કાવ્ય મંગલા ક્રુતિ માટે)
5). નર્મદ સુવર્ણ ચંદ્રક (યાત્રા નામની ક્રુતિ માટે)
6). સાહિત્ય અકાદમી પુરસ્કાર ( અવલોકના ક્રુતિ માટે)
પ્રસિદ્ધ ક્રુતિઓ
કાવ્ય સંગ્રહો :
1). કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો
2). વસુધા
3). કાવ્ય મંગલા
4). યાત્રા
5). રંગ રંગ વાદળિયાં (બાળકાવ્યો)
વાર્તાસંગ્રહ :
1). ખોલકી અને નાગરિકા
2). મીન પિયાસી
3). હીરાકણી અને બીજી વાતો
4). માના ખોળે
5). ઉત્નયન
6). માજા વેલીનું મૃત્યુ
પ્રવાસ પુસ્તક : દક્ષિણ યાન
નવલકથા : પાવકના પંથે
ચરિત્ર : શ્રી અરવિંદ મહાયોગી
જાણીતી કાવ્યપંક્તિ
>> હું માનવી માનવ થાવ તો ઘણું
>> તેને જો ઝંખીને છે, યુગોથી ધીખેલા પ્રખર સહારાની તરસથી
>> હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગના…
>> નમું તને પથ્થર નહીં, શ્રદ્ધા તણા આસનને નમું
Read more