વર્ષ 2014 અને 2016માં લેવાયેલ બિન સચિવાલય પરીક્ષામાં ગુજરાતના ઇતિહાસના તમામ પૂછાયેલા પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે.
ગુજરાત ના ઇતિહાસના પ્રશ્નો
બિન સચિવાલય ક્લાર્ક – 2014
1). આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપનું નામ જણાવો ? : ત્રિભુવનદાસ પટેલ
2). ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? : દાંડીયાત્રા
3). ગુજરાત રાજયમાં “રન ફોર યુનિટ” કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ? : 31 ઓક્ટોબર
4). ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? : હિંમતનગર
5). ગુજરાત રાજયમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રી ના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી છે ? : માધવસિંહ સોલંકી
6). દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? : સવિનય કાનૂન ભંગ
7). ગુજરાત રાજયમાં “સરદાર સ્વરાજ” આશ્રમ ક્યાં આવેલો છે ? : બારડોલી
8). ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી ? : મહેંદી નવાજ જંગ
9). ગ્લોબલ વૉમિગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો ? : ધ કન્વીનીઅન્ટ એક્શન
10). ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાવ ક્યાં રાજ્ય સાથે જોડાયેલુ હતું ? : મહારાષ્ટ્ર
11). ગુજરાતનાં ક્યાં મુખ્યમંત્રી પાકિસ્તાનની સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન પામ્યા હતા ? : બળવંતરાય મહેતા
12). ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ ? : ઈંગ્લેન્ડ
13). ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદો ધરાવતા હતા ? : વિદેશ મંત્રી
14). 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ? : કોચરબ આશ્રમ
15). ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સૌથી વધુ સમય માટે કોને સંભાળ્યો ? : નરેન્દ્રભાઈ મોદી
16). સરદાર વલ્લભભાઈ પટેલ ક્યા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ? : અમદાવાદ
17). અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ? : રેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ
18). અશ્મિનોની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? : કાર્બન ડેટિંગ
19). ગુજરાતના ક્યા મુખ્યમંત્રીનું હોદા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું? : બળવંતરાય મહેતા
20). “સૂર્યપુત્ર” પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ? : ચીમનભાઈ પટેલ
21). આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ?
A) હિતેન્દ્ર દેસાઈ
B) ડો.જીવરાજ મહેતા
C) બલવંતરાય મહેતા
D) પ્રબોધ રાવળ
22). ‘છેલ્લો કટોરો આ ઝેરનો બાપુ’ આ કોણે ગાયું? : ઝવેરચંદ મેઘાણી
બિન સચિવાલય ક્લાર્ક – 2016
1). મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો ? : ઔરંગઝેબ
2). ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃતિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.
A) સ્વતંત્રતા અખબાર 1). ઈમામ સાહેબ
B) ડુંગળી ચોર 2). ઈચ્છારામ દેસાઈ
C) ધરાસણામાં મીઠાનો 3). શામજી કૃષ્ણ વર્મા
D) ઈન્ડિયન હોમરૂલ સોસાયટી 4). મોહનલાલ પંડ્યા
જવાબ : C-1, A-2, B-3, D-4
3). ગાંધીજીના પરમ મિત્ર બૅરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? : કોચરબ આશ્રમ
4). ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ ક્યા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?
A) મણિનગર
B) વડોદરા
C) રાજકોટ
D). ત્રણેયમાંથી એકપત્ર નહીં
5). “હિન્દ છોડો ચળવળ” સમયે પોતાની જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેની ખાભીનું અનાવરણ કોના હસ્તે કરવામાં આવ્યું હતું ? : જયપ્રકાશ નારાયણ
6). ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી? : ધ્રોલ
7). કાન્તિવીર સરદારસિંહ રાણાનું જન્મ સ્થળ કયું છે. : લીમડી