ચાણક્ય ને અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના જનક માનવમાં આવે છે. આચાર્ય ચાણક્યએ તેની નીતિમાં એવી વાતો દર્શાવી છે કે જેને વિધાર્થી તેના જીવનમાં ઉતારે તો જલ્દી તેનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.
લક્ષ્ય પરથી ધ્યાન હટવું ન જોઈએ
આચાર્ય ચાણક્ય કહે છે કે લક્ષ્યના પ્રત્યે ઈમાનદાર રહીને જ લક્ષ્યની પ્રાપ્તિ કરી શકાય છે. એક વિદ્યાર્થી ને ક્યારે પણ સખત મહેનતથી ગભરાવું ન જોઈએ, કારણ કે મહેનત સિવાય પરીક્ષામાં સફળતા મેળવાવ માટે બીજો કોઈ રસ્તો છે નહીં. એટલા માટે પરીક્ષા દરમ્યાન વિધાર્થીએ તેનું ધ્યાન ફક્ત તેના લક્ષ્ય પર જ રાખવું જોઈએ.
શિસ્ત (Discipline ) પણ જરૂરી છે
વિધાર્થી જીવનમાં Discipline કોઈ વરદાન થી ઓછું નથી. આ સફળતા પ્રાપ્ત કરવાની સિડી છે. શિસ્તતા (discipline) દ્વારા જ લક્ષ્ય સુધી પહોંચવામાં સફળતા મળે છે. એટલા માટે સુંવા થી લઈ જાગો ત્યાં સુધી અને વાંચવાનો સમય નક્કી કરો. તમારા વાંચવાના સમયની વચ્ચે બ્રેક પણ લ્યો.
આળસ દૂર દૂર કરો
આળસ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે ખાસ કરીને વિદ્યાર્થી જીવનકાળમાં આળસ તમારી ઉપર હાવી થઈ જાય તો તમે કોઈ પણ કાર્ય નહીં કરી શકો. એટલા માટે આચાર્ય ચાણક્ય કહે છે કે. વિદ્યાર્થીએ તેનું ભવિષ્ય ઉજળું બનાવવું છે તો તેને આળસથી દૂર રહેવું જોઈએ. કોઈ પણ કામ આવતી કાલ પર છોડવાની ભૂલ બિલકુલ ના કરે. આજ નું કામ આજ જ પૂરું કરે કેમ કે આવતી કાલે વધુ કામનો બોજ ના રહે.
આરોગ્યનો ખ્યાલ રાખવો
શિક્ષણ ની સાથે સાથે આરોગ્યનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. જો તમારું શરીર સ્વસ્થ રહેશે તો શિક્ષણ સારી રીતે મેળવી શકશો. એટલા માટે આચાર્ય ચાણક્ય કહે છે કે શરીર સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક ભોજન લ્યો. ખૂબ વધુ કે ખૂબ ઓછું ભોજન પણ ના લેવું જોઈએ કારણે સંતુલિત ભોજન કરશો તો વાંચતી વખતે ઊંઘ નહીં આવે અને તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.
આ પણ વાંચો :