આપણે જયારે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે સમજાતું નથી કે હવે આગળ શું કરવું. આપણાં માટે સાચું શું છે અને ખોટું શું છે તે નક્કી કરી શકતા નથી. આવા સમયે તમારે ચાણક્ય નીતિની આ પાંચ વાત જરૂર યાદ રાખવી જોઈએ. જે તમને સાચો નિર્ણય લેવામાં અને દરેક મુશ્કેલ માર્ગને સરળ બનાવવામાં મદદરૂપ થશે.
દુનિયામાં દરેકને પોતાના જીવનથી પ્રેમ હોય છે, કોઈ નથી ઇચ્છતું કે તેના જીવનમાં દુ:ખના વાદળ તૂટી પડે. પણ વિધિ ના વિધાન મુજબ સુખની સાથે જીવનમાં દુખ પણ આવે છે. પરંતુ એ સંપૂર્ણ આપણાં પર નિર્ભર હોય છે કે સુખમાં આપણે કેવું વર્તન કરીએ છીએ અને દુખના સમયનો આપણે કેવી રીતે સામનો કરીએ છીએ. પણ હા.. મુશ્કેલ સમયમાં ચાણક્ય નીતિ આપણને મદદ જરૂર કરી શકે છે.
આચાર્ય ચાણક્ય, એક પ્રસિદ્ધ વિદ્ધવાન અને ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા. જેણે નીતિ શાસ્ત્રની રચના કરી હતી, જે ચાણક્ય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એવું પણ કહેવામા આવે છે કે જો કોઈ ચાણક્ય નીતિને અનુસરે તો તેને જીવનમાં સફળ થતાં કોઈ રોકી શકતું નથી. આચાર્ય ચાણક્યએ મુશ્કિલ સમયમાં કેવો વ્યવહાર કરવો જોઈએ તેને લઈ મહત્વપૂર્ણ ટિપ્સ આપી છે. જેનું પાલન કરનાર મુશ્કેલ સમયથી ડરવાના બદલે તેને હસતાં-હસતાં પસાર કરી દે છે. અને ફરી સુખના સમયનો આનંદ ઉઠાવે છે. ચાલો તમને પણ જણાવીએ આચાર્ય ચાણક્યની આ ખાસ વાતો.
Table of Contents
સતર્ક (સાવધાન) રહો
આચાર્ય ચાણક્ય મુજબ તમામ વ્યક્તિને મુશ્કેલ સમયમાં હંમેશા સતર્ક એટલે કે સાવધાન રહેવું જોઈએ. સમસ્યાના સમયે વ્યક્તિ પાસે પડકાર વધુ અને અવસર સીમિત હોય છે. એવામાં નાની એવી ભૂલ પણ મોટી સમસ્યાને આમંત્રણ આપી શકે છે. એટલા માટે કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના સારા અને ખરાબ પરિણામો વિશે શાંત મગજથી વિચારો.
પ્લાનિંગ પર ફોકસ કરો (રણનીતિ બનાવો)
આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈપણ સંકટ સમયથી નીકળવા માટે કોઈ ચોક્કસ રણનીતિ હોવી જોઈએ. કોઈ વ્યક્તિ મુશ્કેલ સમયથી નીકળવાનું પ્લાનિંગ કરી લે છે તો તેનો રસ્તો સરળ થઈ જાય છે. પરંતુ જે વ્યક્તિ પાસે કટોકટીની સ્થિતિમાં કોઈ રણનીતિ નથી હોતી, તેને મોટું નુકશાન ઉઠાવું પડી શકે છે. એટલા માટે કોઈ પણ સમસ્યા માંથી બહાર નીકળવા માટેનું પ્લાનિંગ હોવું અનિવાર્ય છે.
આરોગ્ય પર ધ્યાન આપો
આચાર્ય ચાણક્ય ના કહ્યા મુજબ સ્વસ્થ શરીર માણસની સૌથી મોટી મિલકત છે. એટલા માટે વ્યક્તિએ સૌપ્રથમ તેના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે એ તમામ કોશિશ કરવા સક્ષમ હશો જે તમને સંકટથી બહાર કાઢી શકે. પછી તમે માનસિક અને શારીરિક બળથી તમામ પડકારોને દૂર કરવામાં સફળ રહેશો.
પૈસાની બચત કરો
ખરાબ સમય ગમેત્યારે આવી શકે છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા સંકટના સમય સામે લડવા તૈયાર રહેવું જોઈએ. પૈસાની બચત કરવી એ ખુશહાલ જીવનની નિશાની છે. કેમકે સંકટના સમયમાં ધન જ તમારો સાચો મિત્ર હોય છે. જે વ્યક્તિ પાસે સંકટના સમયએ ધનનો અભાવ હોય છે. તેના માટે મુશ્કેલ સમય માંથી બહાર નીકળવું ખુબજ મુશ્કેલ બની જાય છે.
એકતા જ શક્તિ
હંમેશા યાદ રાખોજો કે કોઇપણ મુશ્કેલ સમયથી બહાર નીકળવા માટે હિંમત અને એકતા ખૂબ જરૂરી છે. જો તમે મુશ્કિલ સમયમાં અહમનો ભાવ રાખશો તો તમારી હાર નિશ્ચિત છે. કારણ કે એક એકલો વ્યક્તિ તેની લડાઈ પોતે જ લડે છે પણ જ્યારે વાત પરિવાર કે સમાજની હોય ત્યારે એકબીજાનો પક્ષ જણાવો અને તમામને સાથે લઈ ચાલવું એ સફળતાની ચાવી છે. જો તમે એકતાની સાથે આગળ વધશો તો કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકશે નહીં.