અહીં ગુજરાતના ઇતિહાસ (Gujarat history) નો મહત્વપૂર્ણ ટોપીક ગુજરાત સભા અને ગોધરા પરિષદ સંબધિત જાણકારી આપેલ છે. જે તમને GPSC સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ગુજરાત સભા
> ગુજરાત સભાની સ્થાપના ઇ.સ 1884માં થઈ હતી. તે એકભાષી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવા અને રાષ્ટ્રીય પ્રવૃતિઓનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ કરતી હતી.
> ગુજરાત સભા રાજદ્વારી પ્રશ્નોમાં રસ લેતી હતી અને અરજી દ્વારા લોકોના રાજકીય પ્રશ્નો તરફ સરકારનું તે ધ્યાન દોરતી હતી.
> હોમરૂલ ચળવળ વખતે ગુજરાત સભાએ હોમરૂલનો સંદેશો ગામડે-ગામડે પહોંચાડિયો હતો.
> ઇ.સ 1902માં અમદાવાદ ખાતે ભરાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ગુજરાત સભાને આભારી હતું.
> ઇ.સ 1917માં ગાંધીજીને ગુજરાત સભાના પ્રમુખ બનાવવામાં આવ્યા એટલે આ સંસ્થામાં પ્રાણ ફૂકાયો. ગાંધીજીએ દર વર્ષે ગુજરાત સભાની પરિષદ બોલાવવાનું સભા પાસે નક્કી કરાવ્યુ હતું.
> ગુજરાત સભાની પ્રથમ પરિષદ ગોધરા ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું.
ગોધરાના કાર્યકર્તા વામનરાવ મુકાદમના ઉત્સાહને લીધે ગોધરાની પસંદગી કરવામાં આવી હતી.
> મહાત્મા ગાંધીએ આ પરિષદમાં એક નવીનતા અપનાવી હતી, તેમણે બધા નેતા પાસે ગુજરાતી અથવા હિન્દીમાં ભાષણ કરાવ્યા હતા.
> દર વર્ષે ગુજરાત સભાની કારોબારી નિમવાનું અને તે બીજી પરિષદ મળે ત્યાં સુધી આખુય વર્ષ પ્રજાકીય કામ કરે એવું નક્કી થયું હતું.
> ઇ.સ 1917માં જે કારોબારી નિમાઈ તેમાં ગાંધીજી પ્રમુખ થયા અને વલ્લભભાઈ પટેલ તેના મંત્રી થયા. આમ ગાંધીજી અને વલ્લભભાઈની જોડી ત્યારથી જામી હતી.
સરદાર પટેલ સાથે સહમંત્રી તરીકે ઇંદુલાલ યાજ્ઞિકની નિમણૂક કરવામાં આવી હતી.
ગોધરા પરિષદ (ઇ.સ 1917)
> ઇ.સ 1917માં ગાંધીજીના અધ્યક્ષ સ્થાને ‘ગુજરાત સભા’ નું અધિવેશન ગોધરા ખાતે ભરાયું હતું.
> આ પરિષદની કાર્યવાહી પહેલીવાર ગુજરાતી ભાષામાં ચલાવી હતી.
> આ પરિષદમાં બ્રિટિશ તાજ તરફથી વફાદારી બંધ કરવાની ગાંધીજીએ હાકલ કરી હતી.
> ગોધરા પરિષદમાં વેઠ પ્રથા નાબૂદ કરવાનો ઠરાવ થયો હતો.
> આ પરિષદમાં બાલ ગંગાધર તિલક, મહમદઅલી ઝીણા, વિઠ્ઠલભાઈ પટેલ અને ખાપર્ડે એ ભાગ લીધો હતો.
> આ ગોધરા પરિષદમાં મહમદઅલી ઝીણા એ ગુજરાતીમાં વકતવ્ય આપ્યું હતું જ્યારે બાલ ગંગાધર તિલકે મરાઠી ભાષામાં આયુ હતું. પરતું ખાપર્ડે એ તેનું ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.
Read more