અહીં ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા મહોત્સવો વિશે માહિતી આપવામાં આવે છે. જેમાં મહોત્સવનું નામ અને સ્થાન સાથે તેની વિશેષતા વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. આ માહિતી વિધાર્થીને વિશેષ કરીને રિવિઝન માટે વધુ ઉપયોગી રહેશે.
ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા મહોત્સવો
મહોત્સવ | સ્થાન | વિશેષતા |
---|---|---|
કાંકરીયા કાર્નિવલ | અમદાવાદ | અમદાવાદના કાંકરીયા તળાવ ખાતે દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડીયામાં યોજાય છે. જેની શરૂઆત 2008 થી થઈ હતી. |
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ | અમદાવાદ | 2003થી દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ 13 થી 15 જાન્યુઆરીએ ઉજવાઇ છે. |
ઉત્તરાર્ધ મહોત્સવ | મોઢેરા(મહેસાણા) | ઇ.સ 1992થી દરવર્ષે જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં (ઉતરાયણ પછી) આયોજન કરવામાં આવે છે. |
રણોત્સવ | ઘોરડો(કચ્છ) | આ મહોત્સવ દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ઉજવાયછે. રણોત્સવ 2006-07 થી ઉજવવામાં આવે છે. |
સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ | સાપુતારા(ડાંગ) | દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન જિલ્લા પ્રશાસન દ્વારા 11 દિવસ સુધી કરવામાં આવે છે. |
પોળો ઉત્સવ (ગ્રીન ફેસ્ટિવેલ) | વિજયનગર(સાબરકાંઠા) | વિજયનગર તાલુકમાં આવેલા પોળોના જંગલોમાં આયોજન થાય છે. |
પંચ મહોત્સવ | ચાંપાનેર(પંચમહાલ) | 2016થી દરવર્ષે ઉજવવામાં આવે છે. |
ડાંગ દરબાર | ડાંગ | દરવર્ષે હોળીના એક સપ્તાહ પહેલા ભરાય છે. |
વસંતોત્સવ | સાંસ્ક્રુતિક કુંજ ગાંધીનગર | આ ઉત્સવ ઇ.સ 1995થી દર વર્ષે ફેબ્રુઆરી માસમાં આયોજના થાય છે. |
ગોપી કલા ઉત્સવ | સુરત | આ પાંચ દિવસનો ઉત્સવ 2016થી ઉજવાઇ છે. |
મિનિ કુંભ ઉત્સવ(ભવનાથનો મેળો) | ગિરનારની તળેટીમાં (જુનાગઢ) | મહાશિવરાત્રિના પાંચ દિવસ પહેલા શરૂ થાય છે. |
વન મહોત્સવ | – | ગુજરાતમાં 2004થી ઉજવણી કરવામાં આવે છે. વધુ વાંચો : click |