junagadh jilla na gk question : અહીં જુનાગઢ જિલ્લાના જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
junagadh jilla na gk question
1). જુનાગઢ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 10 ( જુનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, મેંદરડા, વિસાવદર, વંથલી, કેશોદ, માંગરોળ, માણાવદર, માળીયા)
2). જુનાગઢના પ્રાચીન નામ આપો ? : ગિરિનગર, રેવંત, જીર્ણદુર્ગ, ચંદ્રકેતપૂર, કરણકુંજ
3). જુનાગઢનું ઉપનામ જણાવો ? : સાધુઓનું પિયર
4). જુનાગઢ જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : રાજકોટ જિલ્લાની
5). અમરેલી જિલ્લાની સરહદ જુનાગઢ જિલ્લાને કઈ દેશામાં સ્પર્શે છે ? : પૂર્વમાં
6). જુનાગઢ જિલ્લાની દક્ષિણમાં કોણ સરહદ ધરાવે છે ? : ગીર-સોમનાથ જિલ્લો અને અરબ સાગર
7). જુનાગઢ જિલ્લાની પશ્ચિમમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : પોરબંદર જિલ્લો
8). જુનાગઢ જિલ્લાનો ગીરની ટેકરીઓથી દક્ષિણે આવેલો ભાગ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે ? : સોરઠ
9). ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર પર્વત કયા જિલ્લામાં સ્થિત છે ? : જુનાગઢમાં (1117 મીટર)
10). ગિરનાર પર્વત કયા ખડકોનો બનેલો છે ? : બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો
11). ગિરનાર પર્વત નજીક કયો કુંડ આવેલો છે ? : દામોદર કુંડ
12). ગિરનારની તળેટીમાં સ્વર્ણસિકતા નદી પર સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ? : ચંદ્રગુપ્તના સુબા પુષ્પ ગુપ્તે
13). ગીરનાર પાસે અશોકના શીલાલેખની શોધ કોણે કરી હતી ? : કર્નલ ટોડે
14). ગિરનાર પર્વતને કેટલી ટૂંક આવેલી છે ? : 7 (સાત)
15). ગિરનારની પહેલી ટૂંક પર કયા જૈન ધર્મના તીર્થકરનું મંદિર આવેલું છે ? : નેમિનાથજીનું મંદિર
16). ગિરનારની બીજી ટૂંક પર કયા માતાજીનું મંદિર આવેલું છે ? : અંબાજી માતાજીનું
17). ગિરનારની દાતારની ટૂંક પર કોની દરગાહ આવેલી છે ? : જમીયલ શાહની દરગાહ
18). ઉપરકોટમાં કયા દેવીનો મહેલ આવેલો છે ? : રાણકદેવીનો
19). સૌથી વધુ પાણીના કૂવા ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલા છે ? : જુનાગઢ જિલ્લામાં
20). વાડીઓના જિલ્લા તરીકે ઓળખાતો ગુજરાતનો જિલ્લો ? : જુનાગઢ
21). જુનાગઢ શેના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે ? : મગફળીના
22). મગફળીમાંથી તેલ કાઢવાની મિલો ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે આવેલી છે ? : જુનાગઢ જીલ્લામાં
23). નેશનલ રિસર્સ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ કયા જિલ્લામાં આવેલી છે ? : જુનાગઢ
24). જુનાગઢમાં આવેલા પ્રખ્યાત બંદરો ? : 1). ચોરવાડ 2). માંગરોળ
25). જુનાગઢમાંથી મળી આવતા કેલ્સાઇટને શું કહે છે ? : પનાલા ડિપોઝીટ
26). જુનાગઢમાં કયું મ્યુઝિયમ આવેલું છે ? : દરબાર હોલ મ્યુઝિયમ
27). જુનાગઢમાં કયું પ્રાણી સંગ્રહાલય આવેલું છે ? : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય
28). જુનાગઢ જિલ્લામાં હવાઈ મથક કયા તાલુકામાં આવેલું છે ? : કેશોદમાં
29). દરવર્ષે ગિરનાર પાસે ભવનાથનો મેળો ક્યારે ભરાય છે ? : મહાશિવરાત્રિના દિવસે
30). સંત આપાગીગાની સમાધિ કયા આવેલી છે ? : સતાધાર
31). જુનાગઢમાં ઝંડુનો મેળો કયા ભરાય છે ? : ચોરવાડમાં
32). જુનાગઢના નવાબ ઉનાળામાં કયા રહેતા હતા ? : ચોરવાડમાં તેના મહેલમાં
33). ‘રૂપાયતન’ સંસ્થા કયા જિલ્લામાં અને કઈ કલાના ઉદ્યોગ માટે જાણીતી છે ? : જુનાગઢ જિલ્લાના હસ્તકલાના ઉદ્યોગ માટે
34). જુનાગઢ જિલ્લામાં આવેલા પ્રખ્યાત કુંડ ? : દામોદર કુંડ, રેવતી કુંડ, કમંડલ કુંડ
36). ભારત સરસ્વતી મંદિર સંસદ કયા જિલ્લામાં આવેલું છે ? : જુનાગઢ જિલ્લામાં
37). મહેમુદ બેગડાએ જુનાગઢને જીતી તેનું નામ શું રાખ્યું હતું ? : મુસ્તૂફાબાદ
38). ગિરનારની તળેટીમાં કયા-કયા રાજાના શીલાલેખો આવેલા છે ? : અશોક, રુદ્રદામા અને સમુદ્રગુપ્તના
39). ગિરનારની લીલી પરિક્રમા કયારે શરૂ થાય છે ? : કારતક સુદ અગિયારસ થી શરૂ અને કારતક સુદ પુનમના રોજ પૂર્ણ
જુનાગઢ જિલ્લાની વિસ્તૃત માહિતી 👉 | click here |