અહીં ગુજરાતી અને ઉર્દુ લોકપ્રિય સાહિત્યકાર ખલીલ ધનતેજવીનો પરિચય આપેલ છે. જેમાં તેની રચના અને તેને મળેલા પુરસ્કારોની યાદી પણ આપવામાં આવી છે.
Khalil dhantejvi in Gujarati
જન્મ : | 12 ડિસેમ્બર, 1938 |
મૃત્યુ : | 4 એપ્રિલ, 2021 (82 વર્ષે) |
મૂળનામ : | ખલીલ ઈસ્માઈલ મકરાણી |
બિરુદ : | ગુજરાતી સાહિત્યના મિર્ઝા ગાલિબ |
>> ખલીલ ધનતેજવી ગુજરાતી તથા ઉર્દુના ખૂબ જ લોકપ્રિય શાયર, ગઝલકાર, પત્રકાર નવલકથાકાર, ફિલ્મ દિગ્દર્શક છે.
>> વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા ધનતેજ ગામમાં ખલીલ ધનતેજવીનો જન્મ થયો હતો.
>> તેમણે પોતાના ગામ ધનતેજ પરથી ધનતેજવી અટક રાખી હતી.
>> ખલીલ ધનતેજવીએ ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો હતો.
>> ખલીલ શબ્દનો અર્થ મિત્ર તેમ થાય છે.
>> એમને ગુજરાતી સાહિત્યના મિર્ઝા ગાલિબ તરીકે ઓળખવામાં આવે છે.
>> તેઓ ગુજરાત સમાચારમાં બુધવારની શતદલ પૂર્તિમાં ‘ત્રિકોણનો ચોથો ખૂણો’ તથા રવિવારની પૂર્તિમાં ‘ખુલ્લા બારણે ટકોરા’ નામની કોલમ લખતા હતા.
>> તેમણે છૂટાછેડા, ડો. રેખા અને ખાપરો ઝવેરી નામની ગુજરાતી ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન કર્યું છે. અને ચુંદડી ચોખાનામની ફિલ્મમાં ખલીલ ધનતેજવીએ સંવાદ લખ્યા છે.
>> ખલીલ ધનતેજવીને છૂટાછેડા ફિલ્મના નિર્માણ અને નિર્દેશન બદલ એવોર્ડ પણ મળ્યો હતો.
ખલીલ ધનતેજવીને મળેલા પુરસ્કાર
પુરસ્કાર | મળેલ વર્ષ |
---|---|
કવિ કલાપી પુરસ્કાર | 2004 |
વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર | 2013 |
નરસિંહ મહેતા પુરસ્કાર | 2019 |
પ્રસિદ્ધ ગઝલ સંગ્રહ
1). સારાંશ
2). સાદગી
3). સગપણ
4). સોપાન
5). સરોવર
6). સૂર્યમુખી
7). સાયબા
પ્રસિદ્ધ નવલકથા
1). મુકામ પોસ્ટ ઝાકળ
2). એક મુઠ્ઠી હવા
3). ભરચક એકાંત
4). લોહી ભીની રાત
5). સાંજ પડેને સૂનું લાગે
6). કોરી કોરી ભીનાશ
7). નગરવધુ
8). મીણની આંગણીએ સુરજ ઉગ્યા
9). લીલા પાંદડે તડકો
10). લીલો છમ તડકો
Read more