Morbi Jilla na Gk question : અહીં મોરબી જિલ્લા સંબધિત જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Morbi Jilla na Gk question
1). મોરબી જિલ્લાની રચના ક્યારે થઈ ? : 15 ઓગસ્ટ 2013માં
2). મોરબી જિલ્લાની રચના કયા-કયા જિલ્લામાંથી કરવામાં આવી છે ? : જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર
3). મોરબી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : પાંચ (મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા-મિયાણા, હળવદ)
4). મોરબી જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : કચ્છ જિલ્લો
5). મોરબી જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લની સરહદ આવેલી છે ? : સુરેન્દ્રનગર જિલ્લાની
6). મોરબી જિલ્લાની દક્ષિણમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : રાજકોટ જિલ્લાની
7). મોરબી જિલ્લાની પશ્ચિમમાં શું આવેલું છે ? : જામનગર જિલ્લો અને અરબ સાગર
8). મોરબી કઈ નદીના કિનારે આવેલું છે ? : મચ્છુ
9). વાઘ મંદિરથી જાણીતું મણીમંદિર કયા આવેલું છે ? : મોરબી શહેરમાં
10). મણીમંદિર કોણે બંધાવ્યું હતું ? : વાઘજી ઠાકોરે (તેમની પત્નીની યાદમાં)
11). મોરબી જિલ્લામાં અમર પેલેસ કયા આવેલો છે ? : વાંકાનેર
12). મોરબી કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? : સિરામિક અને ઘડિયાળ બનાવટના
13). ઘડિયાળ બનાવતી કઈ પ્રસિદ્ધ કંપની મોરબીમાં કાર્યરત છે ? : અજંતા અને ઓરપેટ
14). મેંગલોરી નલિળાની બનાવટ માટે જાણીતો જિલ્લો કયો છે ? : મોરબી
15). ચિનાઈ માટીના વાસણો બનાવાતી “પરશુરામ પોટરી” ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલી છે ? : મોરબી જિલ્લામાં
16). આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કઈ છે ? : ટંકારા (મોરબી જિલ્લો)
17). મોરબી જિલ્લામાં કયું બંદર આવેલું છે ? : નવલખી
18). મોરબી જિલ્લામાં આવેલું એકમાત્ર અભયારણ્ય ? : રામપરા અભયારણ્ય (તાલુકો વાંકાનેર)
19). વાંકાનેર કઈ નદીના કિનારે વસેલું છે ? : મચ્છુ
મોરબી જિલ્લાની વિસ્તૃત માહિતી 👉 | click here |