ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર ભાવનગર જિલ્લાનું પાલિતાણા છે. પાલિતાણા શહેરમાં આવેલ શેત્રુંજય પર્વત પર 863 જેટલા જૈન મંદિરો આવેલા છે. આ ઉપરાંત પાલિતાણામાં સતી રાજબાઈનું મંદિર, સતુઆ બાબાનો આશ્રમ, હાટકેશ્વર મહાદેવ, કાળભૈરવ દાદાનું મંદિર, અયંગરપીરની દરગાહ અને હેમચંદ્રાચાર્યની સમાધિ વગેરે પ્રસિદ્ધ જોવાલાય મંદિરો આવેલા છે.
પાલિતાણા શહેર વિશે
પાલિતાણાનું જૂનું નામ ‘પાદલીપ્તપૂર’ હતું. પાલિતાણાને ‘મંદિરોના શહેર’ ની તથા ‘અહિંસા નગરી’ ની ઉપમા મળેલી છે.
પાલિતાણામાં જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું સ્થાનક ‘હસ્તગિરિ’ આવેલું છે. અહીં શ્રી વૃષભદેવના જ્યેષ્ઠ પુત્ર શ્રી ભરત ચક્રવર્તી આ તીર્થ પરથી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. શ્રી ભરત ચક્રવર્તી આ તીર્થ પરથી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. શ્રી ભરત ચક્રવર્તીનો હાથી પર અહીં જ ઊભા ઊભા અનશન કરી સ્વર્ગ સીધાવ્યો હોવાની લોકવાયકા છે.
જૈન આચાર્ય પાદલિપ્ત સુરીના શિષ્ય નાગાર્જુન દ્વારા શેત્રુંજય પર્વત પર ગુરુના નામ પરથી પાદલીપ્તપૂરની સ્થાપના કરાઇ. જે આગળ જતાં પાલિતાણા નામથી ઓળખાયું.
આ પણ વાંચો :