દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય પ્રવાસન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ સાંસ્ક્રુતિક વારસા અને ભૌગોલિક વિવિધતાથી દેશ-વિદેશના લોકોને પરિચિત કરવાનો તેમજ પ્રવાસન ક્ષેત્રે રોજગાર વધારવાનો છે.
ભારત સરકાર દ્વારા વર્ષ 2008માં 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ભારતીય પ્રવસાનને પ્રોત્સાહન મળે તે હેતુથી વર્ષ 2002 થી ‘Incredible India’ (અતુલ્ય ભારત) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે ખ્યાતનામ બનાવવાના ઉદ્દેશ્યથી 1 જાન્યુઆરી, 2021 થી 31 માર્ચ, 2025 સુધી ‘ગુજરાત પ્રવાસન નીતિ’ ની જાહેરાત કરવામાં આવી છે. જેનો હેતુ સસ્ટેનેબલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો અને પ્રદૂષણ રહિત પ્રવાસન સ્થળ નિર્માણ કરવાનો છે.
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ થીમ 2023 : ગ્રામીણ અને સમુદાય કેન્દ્રિય પ્રવાસન
સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ‘વિશ્વ પ્રવાસન દિવસ’ (World Tourism Day) 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
ભારત સરકારના પ્રવસાન મંત્રી : | જી. કિશન રેડ્ડી |
ગુજરાત સરકારના પ્રવસાન મંત્રી : | મુળુભાઇ બેરા |
આ પણ વાંચો :