sikh dharm guru in gujarati : અહી શિખર ધર્મોના ધર્મ ગુરુ વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષી તૈયાર કરેલ છે.
શીખ ધર્મના ધર્મગુરુ
અહીં શીખધર્મના દસ ધર્મ ગુરુ વિશે માહિતી આપવામાં આવી છે.
1. ગુરુ નાનક (ઇ.સ 1469-1538)
>> શીખધર્મના સ્થાપક
>> ગુરુ નાનકે ગુરુગાદી ની સ્થાપના કરી અને સતનામ અને સતકરતાર શબ્દનો પ્રચાર કર્યો.
>> તેમણે નિરાકાર ઈશ્વરની કલ્પના કરી હતી, અને વાહેગુરુ શબ્દ ધ્યાનમાં રાખ્યો.
>> ગુરુ નાનક જાતિવાદ વિરોધી હતા તેની તેને સામૂહિક ભોજનની શરૂઆત કરી હતી.
>> ગુરુ નાનક અદ્વૈતવાદ દર્શનના સમર્થક હતા.
2. ગુરુ અંગદદેવ (ઇ.સ 1539-52)
>> શીખ ધર્મના બીજા ધર્મ ગુરુ અને ‘ગુરુમુખી લિપિ’ ની શોધ કરનાર.
3). ગુરુ અમરદાસ (ઇ.સ 1552-74)
>> ગુરુ અમરદાસે શીખ સંપ્રદાયને સુદ્રઢ બનાવ્યો અને ‘લંગર પ્રથા’ ને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું.
>> આ સમયમાં મુઘલ બાદશાહ અકબરે પંજાબની મુલાકાત લીધી હતી.
4). ગુરુ રામદાસ (ઇ.સ 1574-81)
>> ગુરુ રામદાસે ગુરુ પદને પૈતૃક બનાવ્યું તથા મનસદ પ્રથા શરૂ કરાવી.
>> મુઘલ બાદશાહ અકબરે દાનમાં આપેલી જમીન પર અમ્રુતસર શહેરની સ્થાપના કરી.
>> અને અમ્રુતસર કુંડ બનાવડાવ્યો.
5). ગુરુ અર્જુનદેવ (ઇ.સ 1581-1606)
>> અમ્રુતસરમાં ‘હરમંદિર સાહેબ’ બંધાવ્યું. જેને રણજીતસિંહે સોનાથી મઢાવ્યૂ હોવાથી સુવર્ણ મંદિર તરીકે ઓળખાયું.
>> સુવર્ણમંદિરને ‘દરબાર સાહિબ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
>> ગુરુ અર્જુનદેવે મનસદ પ્રથાને સુનિશ્ચિત સ્વરૂપ આપ્યું.
>> અને ધર્મના પ્રચાર માટે ‘આધ્યાત્મિક કર પ્રણાલી’ શરૂ કરી.
>> ગુરુ અર્જુનદેવે ગુરુ ગ્રંથ સાહિબ (આદીગ્રંથ)નું સંકલન કર્યું હતું.
>> ગુરુ અર્જુનદેવએ ખૂસરોને આશીર્વાદ આપ્યા હોવાથી મુઘલ બાદશાહ જહાંગીરે ઇ.સ 1606માં તેમને ફાંસી આપી હતી.
6). ગુરુ હરગોવિંદ સિંહ (ઇ.સ 1606-45)
>> શીખોને લડાયક જાતિ બનાવી અને તેના સભ્યો ‘સંત સૈનિક’ કહેવાયા.
>> ગુરુ હરગોવિંદ સિંહે અકાલ તખ્તની સ્થાપના કરી અને લોહારગઢનો કિલ્લો બનાવડાવ્યો.
>> ગુરુ હરગોવિંદસિંહ પ્રથમ ધર્મગુરુ હતા કે જેમણે તલવારો ધારણ કરી હતી. જેમાં એક ‘પીરી’ (આધ્યાત્મિકતાનું પ્રતિક) અને બીજી ‘મીરી’ (સાંસારિકતાનું પ્રતિક) હતી.
>> ગુરુ હરગોવિંદસિંહે મુઘલ બાદશાહ શાહજહાં સાથે યુદ્ધો કર્યા હતા.
7). ગુરુ હરરાય (ઇ.સ 1645-61)
>> ગુરુ હરરાયે ઔરંગઝેબના આદેશ પર પોતાના મોટો દીકરો રામરાયને મુઘલ દરબારમાં મોકલ્યો હતો.
8). ગુરુ હરકિશન (ઇ.સ 1961-64)
>> તેમના સમયમે દિલ્હીમાં ફેલાયેલ ‘કોલેરા’ ની મહામારીમાં નાત-જાતના ભેદભાવ વગર લોકોની સેવા કરી.
>> તેથી ગુરુ હરકિશન ‘બાલા પીર’ તરીકે ઓળખાયા.
9). ગુરુ તેગ બહાદુર (ઇ.સ 1664-75)
>> ઇસ્લામ ધર્મનો અંગીકાર ન કરવા પર ઔરંગઝેબે તેમને ફાંસી આપી.
10). ગુરુ ગોવિંદસિંહ (ઇ.સ 1675-1708)
>> ગુરુ ગોવિંદસિંહ શીખોના અંતિમ ધર્મગુરુ છે.
>> ગુરુ ગોવિંદ સિંહે ‘ખાલસા પંથ’ ની સ્થાપના કરી હતી.
>> ખાલસામાં પ્રવેશતા તમામ વ્યક્તિને પાંચ ‘ક’ ધારણ કરવાના હતા.
1). કેશ
2). કંધા
3). કડા
4). કિરપાણ
5). કચ્છા
>> ઔરંગઝેબે તેમના બંને પુત્રોને દીવાલમાં જીવતા ચણી લીધા હતા.
>> તેમને ‘પાહુલ પ્રણાલી’ ની શરૂવાત કરી હતી.
>> પોતાના નિધનના થોડા સમય પહેલાજ ગુરુ ગોવિંદસિંહે ‘ગુરુ પ્રથા’ સમાપ્ત કરી દીધી હતી.
Read more
👉 જૈન ધર્મના તીર્થકરો |
👉 ગુજરાતનાં વિવિધ ધર્મના પ્રસિદ્ધ તીર્થસ્થળો |
👉 બૌદ્ધ ધર્મ પરિષદો |