વૌઠાનો મેળો
▶️ વૌઠાનો મેળો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પુનમ સુધી ભરાય છે.
▶️ વૌઠા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે આવેલું છે.
▶️ વૌઠા ખાતે સાત નદીનો સંગમ થાય છે. તેથી તે પવિત્ર તીર્થ મનાય છે.
▶️ અહિયાં સાત નદીનો સંગમ થાય છે જેમાં 1). સાબરમતી 2). શેઢી 3). હાથમતી 4). વાત્રક 5).ખારી 6). મેશ્વો 7). માઝમ નદીનો સમાવેશ થાય છે.
▶️ વૌઠાના મેળામાં ‘સપ્તસંગમ’ માં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
▶️ અમદાવાદમાં જિલ્લામાં ભરાતા મેળામાં વૌઠાનો મેળો મોટામાં મોટો મેળો છે.
▶️ આ મેળાની ખાસિયત એ છે કે અહીં ગધેડાઓ તથા ઊંટોને શણગારીને ખરીદ વેચાણ માટે લાવવામાં આવે છે. તેથી આ એક પશુ મેળા તરીકે જાણીતો છે.
▶️ રાજય સરકાર અને તાલુકા પંચાયત તરફથી અહિયાં સાંસ્ક્રુતિક કાર્યક્રરમો અને ભજન મંડળી વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે.
read more
Vautha no Melo : : UPSC, GPSC, PI, PSI/ASI, Bin-sachivalay, Talati, Clark, Police constable and all exams…