અહીં ભારતના બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખ વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબીત થશે.
aamukh in Gujarati
>> આમુખ એટલે પ્રસ્તાવના ભારતના બંધારણની શરૂવાત “આમુખ” થી થાય છે.
>> ‘આમુખ’ ને બંધારણને સમજવાની ચાવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
>> આમુખનું પ્રારૂપ બંધારણીય સલાહકાર સર બી. એન રાવે તૈયાર કર્યું છે.
>> આપણી બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1950ના રોજ આમુખ તરીકે મંજૂરી આપી હતી. જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ 13 ડિસેમ્બર 1946ના જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
>> આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપૂરના પ્રખ્યાત ચિત્રકાર ‘બેઓટર રામમનોહર સિંહા’ એ તૈયાર કરી હતી.
1). આમુખનો સ્ત્રોત : અમેરિકા
2). આમુખની ભાષાનો સ્ત્રોત : ઓસ્ટ્રેલીયા
આમુખમાં સુધારો
>> અત્યાર સુધી આમુખમાં ફક્ત એકજ વાર 1976માં સુધારો થયેલો છે.
>> 42માં બંધારણીય સુધારા 1976માં આમુખમાં ત્રણ શબ્દો ઉમેરાયા હતા.
1). સમાજવાદી 2). બિન-સાંપ્રદાયિક 3). અખંડિતતા
આમુખ વિષે જુદા જુદા વ્યક્તિઓએ આપેલા મંતવ્યો
1. ઠાકુરદાસ ભાર્ગવ : “આમુખ એ બંધારણનું હદય છે”
2. કનૈયાલાલ મુનશી : આમુખ રાજકીય કુંડળી છે.
3. એન. કે પાલકીવાલા : આમુખ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે.
4. ક્રિષ્નાસ્વામિ ઐયર : બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે.
5. એમ. હિદાયતુલ્લા : બંધારણના આમુખને અમેરિકની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું
Read more