Bharat na panch pavitra sarovar : અહીં ભારતના પવિત્ર પાંચ સરોવર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ભારતના પવિત્ર પાંચ સરોવર
1). કૈલાસ માનસરોવર
સ્થાન : હિમાલયી ક્ષેત્ર
→ તે પૂર્વમાં નેપાળ અને ઉત્તરમાં ચીન સાથે સરહદ ધરાવે છે.
→ અહીં કૈલાસ પર્વત અને માનસરોવર આવેલું છે.
→ કૈલાસ માનસરોવરની યાત્રા બે ઘાટ લીપુલેખ લા (ઉત્તરાખંડ) અને નાથુલા ઘાટ (સિક્કિમ) મારફતે થાય છે.
→ કૈલાસ પર્વત ચાર નદીઓનું ઉદ્દગમ સ્થાન છે. : સિંધુ, બ્રહ્મપુત્રા, કર્ણાલી, સતલૂજ
2). પુષ્કર સરોવર
સ્થાન : અજમેર (રાજસ્થાન)
→ અહીં બ્રહ્માજીનું મંદિર આવેલ છે.
→ પુષ્કર સરોવરની ચારે તરફ 52 ઘાટ અને અનેક મંદિર બનાવાયા છે.
→ અહીં દર વર્ષે કાર્તિકી પુનમે મેળાનું આયોજન થાય છે.
3). પંપા સરોવર
સ્થાન : મૈસૂર (કર્ણાટક)
→ પંપા સરોવર કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં આવેલું છે.
→ આ સરોવરની નજીક એક ગુફા છે, જેને ‘શબરી ગુફા’ કહેવામા આવે છે. એક માન્યતા મુજબ આ સ્થળે શબરીએ ભગવાન રામને બોર ખવડાવ્યા હતા.
4). નારાયણ સરોવર
સ્થાન : કચ્છ
→ આ સરોવર ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે.
→ ભૂતકાળમાં સિંધુ નદીનો અરબ સાગરમાં સંગમ આ સ્થળે થતો હતો.
→ એક માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુએ અહીં સ્નાન કર્યું હતું.
→ નારાયણ સરોવરથી 4 Km દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
5). બિંદુ સરોવર
સ્થાન : સિદ્ધપૂર (ગુજરાત)
→ આ સરોવર ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સિદ્ધપૂર ખાતે આવેલું છે.
→ આ સરોવરનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં મળી આવે છે.
→ ભગવાન પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ બિંદુ સરોવરના તટ પર કર્યું હતું.
→ તેને ‘માતૃ મોક્ષ’ સ્થળ પણ કહે છે.
આ પણ વાંચો :
- ભારતના વિવિધ ક્ષેત્રોની પરંમપરાગત સાડીઓ
- ભારતની સાંસ્ક્રુતિક સંસ્થા અને મુખ્યાલય
- ભારતમાં આવેલા સૂર્યમંદિરો