ભરતનો સૌથી પ્રાચીન વેદ ઋગ્વેદ છે.
પ્રાચીન ભારતની જાણકારી માટેનો આધારભૂત ગ્રંથ ઋગ્વેદ છે. જે સૌથી જૂનું ધાર્મિક સાહિત્ય છે. તેનો રચનાકાળ ઇ.સ પૂર્વે 1500 થી ઇ.સ પૂર્વે 1000 નો ગણાય છે. આ ગ્રંથમાં 1028 સુકતો, 10 મંડલ અને 104062 ઋચાઓ છે. ઋચાઓનું ગાન કરનાર ઋષિને ‘હોર્તુ’ કહે છે. સૂર્ય અને સાવિત્રીને સમર્પિત ઋગ્વેદનાં ત્રીજા મંડલની રચના વિશ્વામિત્ર દ્વારા થઈ. ઋગ્વેદનાં 10 માં મંડલનાં ‘પુરુષ સૂક્ત’ મુજબ વર્ણ વ્યવસ્થા (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર) નો પ્રથમ ઉલ્લેખ છે.
ઋગ્વેદ પછીના સમયગાળાને ‘ઉત્તર ઋગ્વેદકાળ’ કહે છે. ઋગ્વેદ પછી ક્રમશ: યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની રચના થઈ.
આ પણ વાંચો :
- ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
- વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે?
- ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે?