khakhrechi satyagraha in gujarati : અહીં વર્તમાન ગુજરાતના રાજકોટ જિલ્લના ખાખરેચી ગામે થયેલ ‘ખાખરેચી સત્યાગ્રહ’ વિશે માહિતી આપેલ છે. અહીં આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી છે. જેમાં છેલ્લે અન્ય સત્યાગ્રહની લિન્ક આપેલ છે. જેના પર ક્લિક કરી તેના વિશે પણ વાંચી શકશો.
Khakhrechi satyagraha in Gujarati
>> ખાખરેચી સત્યાગ્રહ ઇ.સ 1929માં થયો હતો.
>> ખાખરેચી ગામ રાજકોટ જિલ્લામાં આવેલું હતું. જેના પર માળિયા રાજયનો રાજા ત્રાસ આપતો હતો.
>> આ ખાખરેચી ગામ ફક્ત 15000 ની વસ્તી ધરાવતુ હતું. અને તેમાંથી 1 લાખ રૂપિયા મહેસૂલી આવક ઉઘરાવવામાં આવતી હતી.
>> જ્યારે સમગ્ર માળિયા રાજયની મહેસૂલી આવક 2 લાખ રૂપિયા હતી. એટેલે કે 50% જેટલી આવક ફકત આ ગામમાંથી ઉઘરાવવામાં આવતી જેથી ગામના લોકો ત્રાસી ગયા હતા.
>> આથી માળિયા રાજય સામે સત્યાગ્રહની આગેવાની “મગનલાલ પ્રેમચંદ” એ લીધી હતી. જેમાં વઢવાણના ફૂલચંદ ભાઈ શાહે પણ તેમાં મદદ કરી હતી.
>> ધીમે-ધીમે આ સત્યાગ્રહ સમાચારપત્રોની હેડ-લાઇન બન્યું અને ગુજરાતભરમાં આની ચર્ચા શરૂ થઈ જેથી રાજાએ નમતું જોખ્યું અને ખાખરેચી ગામના લોકોની શરતોને મંજૂર કરી લીધી.
>> સૌરાષ્ટ્ર સાપ્તાહિકેઆ સત્યાગ્રહને “કઠિયાવાડનું બારડોલી” કહ્યું હતું.
ગુજરાતના અન્ય સત્યાગ્રહ વિશે વાંચો