Join our WhatsApp group : click here

જૈન ધર્મ | jain dharm in gujarati

jain dharm in gujarati : અહીં જૈન ધર્મ ધર્મ સંબધિત જાણકારી આપવામાં આવી છે. આ માહિતી GPSC સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Jain dharm in Gujarati

> જૈન ધર્મ અનુસાર ‘જીન’ ના અનુયાયીઓને ‘જૈન’ કહેવામા આવે છે.

> જીન નો અર્થ વિજેતા થાય છે. એટલે કે ‘જેણે પોતાનાં મન, વાણી, શરીરને જીતી લીધા છે તે જીન’.

> જૈન ધર્મની સ્થાપના જૈનોના પ્રથમ તીર્થકર ઋષભદેવે કરી હતી.

> જૈન ધર્મમાં કુલ 24 તીર્થકર થયા છે. જેમાં મહાવીર સ્વામી 24માં તીર્થકર છે. 

જે સર્વજ્ઞ છે તથા સંસારમાં લોકોને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ થવાનો માર્ગ બતાવે છે, તેને તીર્થકર કહેવામા આવે છે.   

> જૈન ધર્મ ના 22માં તીર્થકર અરિષ્ટનેમી અથવા નેમિકુમારનો સંબધ ગુજરાત સાથે છે. તેમણે ગિરનાર પર્વત પર કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તથા તે શ્રીક્રુષ્ણના સમકાલીન હતા.

> જૈન તીર્થકર ઋષભદેવ અને અરિષ્ટનેમિનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે.

> શ્વેતાંબરો 19માં તીર્થકર મલ્લિનાથને મહિલા( સ્ત્રી) સ્વરૂપે સ્વીકારે છે.            

> મહાવીર સ્વામિના પ્રથમ અનુયાયી તેના જમાઈ જામાલી બન્યા. પ્રથમ જૈન ભિક્ષુણી ચંપા બની.

> હ્યુ-આન-સાંગે કલિંગને જૈન ધર્મનું ઉદ્દગમ સ્થાન કહ્યું હતું.

> સંપ્રતિ અને ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મી હતા.

> ઓડીસામાં કટક નજીક ઉદયગીરીમાંથી ચૌલવંશી શાસક ખારવેલના ઇ.સ પૂર્વે બીજી સદીના હાથીગુફા લેખમાં તેણે જૈન ધર્મનું અનુસરણ કર્યાનો ઉલ્લેખ છે.

> જૈન ધર્મના ઉપદેશોનો પ્રચાર-પ્રસાર કરવા માટે મહાવીર સ્વામીએ પોતાનાં અનુયાયીઓનો એક સંઘ બનાવ્યો હતો. જેમાં સ્ત્રી અને પુરુષ બંનેને સ્થાન આપ્યું હતું.

> જૈન સંઘના સભ્યોને ચાર વર્ગોમાં વિભાજિત કરાયા છે.

ભિક્ષુભિક્ષુણીશ્રાવકશ્રાવિકા

> જેમાં ફકત ભિક્ષુ તથા ભિક્ષુણી સન્યાસી જીવન જીવી શકતા હતા.

જૈન ધર્મ મહાવ્રત (અણુવ્રત)

> જૈન ધર્મના 23માં તીર્થકર પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે ચાર મહાવ્રત આપ્યા હતા.

> આ ઉપરાંત મહાવીર સ્વામીએ પાંચમું મહાવ્રત “બ્રહ્મચર્ય” આપ્યું હતું.

જૈન ધર્મ મહાવ્રત (અણુવ્રત)

1) અહિંસા

2) સત્ય

3) અસ્તેય (ચોરી ન કરવી)

4) અપરિગ્રહ (બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરવો) 

5) બ્રહ્મચર્ય (મહાવીર સ્વામીએ આપ્યું)

જૈન ધર્મનું શ્વેતાંબર અને દિંગબર બે પંથમાં વિભાજન

મૌર્ય વંશના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય એ દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો. તેના શાસનકાળના અંતભાગમાં મગધમાં ભારે દુષ્કાળ પડતાં ભદ્રબાહુના નેતૃત્વમાં ઘણા જૈન દક્ષિણ ભારત જતાં રહ્યા, જ્યારે અન્ય જૈન સ્થૂલિભદ્રના નેતૃત્વમાં મગધમાં જ રોકાયા.

દુષ્કાળ સમાપ્ત થવા પર દક્ષિણના જૈન અનુયાયીઓ મગધ પાછાં ફર્યા ત્યારે જૈનધર્મના સિદ્ધાંતો અને નિયમો બાબતે મગધના જૈન અનુયાયીઓ સાથે મતભેદ થયા.

મગધમાં રોકાયેલા જૈન અનુયાયીઓ શ્વેત વસ્ત્રના હિમાયતી હતા તથા મુર્તિપુજામાં વિશ્વાસ ધરાવતા હતા. આથી તે ‘શ્વેતાંબર’ કહેવાયા.

દક્ષિણમાં ગયેલા જૈન અનુયાયીઓ વસ્ત્ર ધારણ ન કરવા જોઈએ તેવું માનતા હતા તથા તેઓ મુર્તિપુજામાં વિશ્વાસ ધરાવતા ન હતા. આથી તે ‘દિગંબર’ કહેવાયા.

શ્વેતાંબર અને દિગંબર બંને ના મતભેદો દૂર કરવા અને જૈન ધર્મના મુખ્ય ઉપદેશોને સંકલિત કરવા માટે મગધના પાટનગર પાટલિપુત્રમાં પ્રથમ જૈન સંગીતિ (પરિષદ)નું આયોજન કરાયું, પરંતુ દિગંબરપંથે તેનો બહિષ્કાર કર્યો. 

શ્વેતાંબર

👉 જૈન ધર્મમાં સફેદ વસ્ત્રો ધારણ કરનાર “શ્વેતાંબર” કહેવાય છે.
👉 તેઓ સ્થૂલભદ્ર ના અનુયાયી કહેવાય છે.
👉 તેમના સાધુ ‘નિગ્રંથ’ કહેવાય છે.
👉 શ્વેતાંબરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર છે.
👉 શ્વેતાંબર પંથી કૈવલ્યપ્રાપ્તિ માટે ફકત ચાર વ્રતનું પાલન કરતાં : અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ (તેના મત મુજબ બ્રહ્મચર્યની પાલન જરૂરી નથી)
👉 શ્વેતાંબરના મત મુજબ મહિલાઓ પણ તીર્થકર હોઇ શકે છે. તથા 19માં તીર્થકર મલ્લિકાનાથ એક સ્ત્રી હતા.
👉 શ્વેતાંબર અનુસાર મહાવીર વિવાહિત હતા. 
👉 શ્વેતાંબરના ઉપસંપ્રદાયમાં તેરાપંથી, સ્થાનકવાસી, પૂજેરા વગેરે છે.
jain dharm in gujarati

દિગંબર

👉 દિશારૂપી વસ્ત્રો ધારણ કરનાર “દિગંબર” કહેવાય છે.
👉 દિગંબર ભદ્રબાહુના અનુયાયીઓ છે. 
👉 તેના સાધુ ‘યતિ’ કહેવાય છે.
👉 તેમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો.
👉દિગંબર કૈવલ્યપ્રાપ્તિ માટે પાંચવ્રતનું પાલન કરતાં : અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય
👉 તેના તમ મુજબ મહિલાઓ તીર્થકર હોય શકે નહીં તથા 19માં તીર્થકર મલ્લિકાનાથ એક પુરુષ હતા.
👉 દિગંબરના મત મુજબ મહાવીર અવિવાહિત હતા.  
👉 દિગંબરના ઉપ સંપ્રદાયોમાં સામૈયા, તારણપંથી, વીસપંથી છે.

જૈન ધર્મના વ્રત અને સિદ્ધાંત

સિદ્ધાંતો

1). ત્રિરત્ન સિદ્ધાંત : જૈન દર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ત્રણ સિદ્ધાંતનો ઉલ્લેખ છે. સમ્યક દર્શન (શ્રદ્ધા), સમ્યક જ્ઞાન (જ્ઞાન) અને સમ્યક ચરિત્ર (આચરણ)

2). અનેકાન્તવાદ : આ સિદ્ધાંતને સ્યાદવાદ અથવા સપ્તભંગીનો સિદ્ધાંત પણ કહે છે. આ સિદ્ધાંત મુજબ એક જ વસ્તુ/ઘટના અનેક પાસાં ધરાવતી હોય છે અટલે તેને અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોવું.

3). સંલ્લેખના : સ્વચ્છાથી ઉપવાસ થકી પ્રાણ ત્યાગવો.

શિક્ષાવ્રતો

ગૃહસ્થ લોકો માટે જૈન ધર્મના ચાર શિક્ષાવ્રતો પ્રચલિત છે.

1). સામાયિક અને પ્રતિક્રમણ : સામાયિક એટલે એક જગ્યાએ બેસીને આત્મચિંતન, સ્તુતિ-વંદના કરવા તથા ‘પ્રતિક્રમણ’ એટલે પાપના પશ્ચાતાપમાંથી બહાર નીકળવું.

2). દેશાવકાશી વ્રત : અમુક હદ સુધીના વિસ્તારમાં જ રહેવું અને અમુક પદાર્થોનો આહારમાંથી ત્યાગ કરવો.

3). પોષધ વ્રત : ચંદ્રમાસની આઠમ અને ચૌદશના ઉપવાસ કરવા

4). અતિથિઓ સંવિભાગ વ્રત : અતિથિઓને આવકાર અને બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપવા.

જૈન ધર્મ પરિષદ

પ્રથમ જૈન પરિષદ (ઇ.સ પૂર્વે 322 થી ઇ.સ પૂર્વે 298)

સ્થળ :પાટલી પુત્ર
રાજા :ચંદ્રગુપ્ત મૌર્ય
અધ્યક્ષ :સ્થૂળ ભદ્ર
કાર્ય : જૈન ધર્મના મુખ્ય 12 અંગોનું સંપાદન કરાયું.

પ્રથમ જૈન પરિષદમાં શ્વેતાંબર અને દિગંબર એમ બે પંથમાં જૈન ધર્મ વિભાજિત થયો.

બીજી જૈન પરિષદ (ઇ.સ. 512)

સ્થળ :વલભી (હાલનુ ભાવનગર જિલ્લાનું વલભીપૂર)
રાજા :ધ્રુવસેન પ્રથમ (મૈત્રક વંશ)
અધ્યક્ષ :ક્ષમાશ્રવણ
કાર્ય : જૈન ધર્મ ગ્રંથો લિપિ બદ્ધ કરાયા અને ‘આગમો’ ની રચના થઈ હતી.

જૈન ધર્મના આઠ પવિત્ર પ્રતિક

સ્વસ્તિક :સમસ્ત માનવ જગતની શાંતિ અને કલ્યાણનું પ્રતિક
નંદ્યાવર્ત :નવ આંકાવાળું વિશાળ સ્વસ્તિક
શ્રીવસ્ત :જૈનોની છાતી પર પ્રગટ થયેલું ચિન્હ, જે તેમની મનની શુદ્ધતા દર્શાવે છે.
કળશ :શુદ્ધ જળથી ભરેલું પાત્ર
દર્પણ :અંતરાત્માને દર્શાવનાર
ભદ્રાસન :જૈનોનાં ચરણ દ્વારા પવિત્ર થયેલ ગાદી /સિંહાસન
મીન યુગલ :ઇન્દ્રિયો પર વિજયનું પ્રતિક
વર્ધમાનક :ધન, સમૃદ્ધિ, પ્રતિભામાં વૃદ્ધિ દર્શવાતું ચિન્હ
jain dharm in gujarati

મહામસ્તકાભિષેક ઉત્સવ

jain dharm in gujarati

> આ જૈન ધર્મનો એક મહત્વપૂર્ણ ઉત્સવ છે.

> આ ઉત્સવમાં કર્ણાટકના શ્રાવણબેલગોડામાં 18 મીટર ઊંચું ગોમટેશ્વર બાહુબલીની મુર્તિ પર દર 12 વર્ષે એકવાર મહાઅભિષેક થાય છે.

> છેલ્લે 2018માં થયો હતો હવે 2030માં થશે.

> મૈસૂરના ગંગ વંશના મંત્રી ચામુંડ રાજે દસમી સદીની આસપાસ ભગવાન ગોમટેશ્વર બાહુબલીની મુર્તિનું શ્રવણબેલગોડામાં નિર્માણ કરાવ્યુ.

જૈન સાહિત્ય

> જૈન સાહિત્યને આગમ કહેવામા આવે છે.

> જૈન તીર્થકરોનું જીવન ચરિત ભદ્રબાહુ દ્વારા રચિત ‘કલ્પસૂત્ર’ માં છે.

> જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 12 અંગ, 12 ઉપાંગ અને 14 પર્વમાં વહેંચાયેલું છે, જેમાં સાધુ-સાધ્વીઓ અને જૈન અનુયાયીઓને લગતા નિયમો કે આદર્શોનો સમાવેશ થાય છે.

> ઈસુની સાતથી આઠમી સદીમાં જૈન દર્શન શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખાયા.

> અંગ અને દશવૈતાલિક સૂત્રની રચના પાકૃત અથવા અર્ધમાગધી ભાષામાં થયેલ છે.

> તામિલ ભાષાના પ્રસિદ્ધ ગ્રંથ ‘કુરલ’ ના કેટલાક ભાગની રચના જૈનો દ્વારા થઈ છે.

> પ્રાચીન જૈન સાહિત્યની પાકૃત ભાષા અને અપભ્રંશ ભાષા, આધુનિક ભારતીય ભાષાઓ અને પ્રાચીન સંસ્કૃત ભાષાને જોડતી કડી સમાન છે.

> જૈન સાધુઓ દ્વારા પ્રાચીન ગ્રંથની નકલ કરેલી હસ્તપ્રતો પાટણ (ગુજરાત)માં સચવાયેલા છે.

જૈન ધર્મના તીર્થકરો અને તેમના પ્રતીકો

ક્રમ તીર્થકર પ્રતિક
1ઋષભદેવ (આદિનાથ)વૃષભ
2અજિતનાથહાથી
3સંભવનાથઘોડો
4અભિનાથવાનર  
5સુમિત નાથકોંચ
6પદ્મ પ્રભુકમળ
7સુપાર્શ્વનાથસ્વસ્તિક
8ચંદ્રપ્રભુચંદ્ર
9સુવિધાનાથમગર
10શીતલનાથશ્રીવત્સ
11શ્રેયાંસનાથગેંડો
12વાસુ પૂજ્યપાડો
13વિમલનાથસૂવર
14અનંત નાથબાજ
15ધર્મનાથવજ્ર
16શાંતિનાથહરણ
17કુંથુનાથબકરો
18અરનાથનન્ધાવર્ત
19મલ્લિનાથકળશ
20મુનિસુવ્રતકાચબો
21નેમિનાથનિલકમલ
22અરિષ્ટનેમિ (નેમિનાથ)શંખ
23પાર્શ્વનાથસર્પ
24મહાવીર સ્વામીસિંહ  
પરિવ્રાજક : જૈન અને બૌદ્ધ ધર્મમાં સતત પ્રવાસ કરતાં ભિક્ષુકોને 'પરિવ્રાજક' કહે છે.     

મહાવીર  સ્વામી વિશે

જન્મ :ઇ.સ પૂર્વે 599 (NCERT મુજબ ઇ.સ પૂર્વે 540)
જન્મ સ્થળ : બિહાર ના વૈશાલી કુંડગામ (ક્ષત્રિયકુંડ) ખાતે
મૂળનામ :વર્ધમાન
પિતા :સિદ્ધાર્થ
માતા :ત્રિશલા દેવી (વૈશાલીના રાજકુમારી હતા)
પત્ની :યશોદા
પુત્રી :પ્રિયદર્શના (વાસ્તવિક નામ અર્ણોજ્જા)
જ્ઞાન પ્રાપ્તિ પછીના નામ :મહાવીર, કૈવલિન, જિન, નિર્ગન્થ
પ્રથમ ઉપદેશ સ્થળ :રાજગૃહ પાસે પહાડીઓમાં
ઉપદેશની ભાષા :અર્ધમાગધી (પ્રાકૃત)
ધર્મગ્રંથ :આગમ, કલ્પસૂત્ર  

30 વર્ષની ઉંમરે ભાઈ નંદીવર્ધનની રજા લઈ સંસાર ત્યાગ કરી 12 વર્ષની તપસ્યા બાદ 42 વર્ષની ઉંમરે ઋજુપાલિકા નદીના કાંઠે આત્માજ્ઞાન (કૈવલ્યજ્ઞાન) મળ્યું.

સુખ દૂ:ખ બંધનથી મુકત ‘નિગ્રંથ’ (બંધનહિન), અને  ઇન્દ્રિયો પર વિજય  મેળવી ‘જીન’ (વિજેતા), ‘અર્હત’ (પૂજ્ય) કહેવાયા અને તેમના અનુયાયી “જૈન” ગણાયા.

ત્રીસ વર્ષ સુધી ધર્મ સંદેશ બાદ 72 વર્ષની વયે ઇ.સ પૂર્વે 527 (NCERT મુજબ ઇ.સ પૂર્વે 468)માં મગધની રાજધાની રાજગૃહ નજીક પાવાપૂરીમાં તેઓ નિર્વાણ પામ્યા.

> મહાવીરસ્વામીના અનુયાયીના અગિયાર ગણ (સમૂહ ) હતા. અ દરેક ગણના અગ્રણીને ‘ગણધર’ કહેવાય છે. 

> મહાવીર સ્વામી ના પ્રવચનોને ‘સૂત્ર’ કહેવાય છે. આ સૂત્ર ગ્રંથોના સંગ્રહ ને ‘શ્રુત’ અથવા ‘આગમ’ કહે છે. 

જૈન ધર્મનાં મહત્વનાં પવિત્ર સ્થળો

jain dharm na sthalo

પાલિતાણા

> પાલિતાણા ભાવનગર જીલ્લામાં શેત્રુંજ્ય પર્વતની તળેટીમાં આવેલું જૈન તીર્થધામ છે.

> જૈન ધર્મનાં પાંચ તીર્થસ્થાનોમાનું એક પાલિતાણા છે.

> પાલિતાણાની સ્થાપના નાગાર્જુને કરી હતી.

> પાલિતાણા ‘મંદિરોનું શહેર’ તરીકે પણ ઓળખાય છે.

> અહીં શેત્રુંજય પર્વત પર 863 જેટલા મંદિરો આવેલા છે.

> આ મંદિરોનો વહીવટ આણંદજી-કલ્યાણજી ટ્રસ્ટ સંભાળે છે.

> શેત્રુંજય પર સૌથી સુંદર મંદિર જૈનધર્મનાં પ્રથમ તીર્થકર ઋષભદેવનું છે.

> અહીં ઇ.સ 1918માં બનેલું ચૌમુખી મંદિર સૌથી મોટું મંદિર છે.

> અહીં કુમારપાળ, સંપ્રતિ, મિલશાહ વગેરેનાં મંદિરો આવેલા છે.

ગિરનાર (જૂનાગઢ)

> જૈન ધર્મમાં પ્રથમ તીર્થકર આદિનાથને ગિરનાર પરથી કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું.

> ગિરનાર પર આદિનાથ, નેમિનાથ ઉપરાંત મલ્લિકાનાથનું મંદિર છે.

ગિરનારનાં પગથિયાંનું બાંધકામ કુમારપાળે કરાવ્યુ હતું.

કોઠારા (કચ્છ)

> કચ્છ જિલ્લાનાં અબડાસા તાલુકામાં કોઠારા ગામ આવેલું છે.

> અહીં 16માં તીર્થકર શાંતિનાથ બિરાજે છે.

> અહીં 8 શિખરો ધરાવતા મંદિરો આવેલા છે, આ મંદિરોની મધ્યમાં મોટું જિનાલય છે.

> આ જિનાલયનું નિર્માણ કેશવજી નાયક (શેત્રુંજય પર્વતની ટૂંકનાં નિર્માતા), વેલજી માલુ તથા શિવજી નેન્શીએ ઇ.સ 1918માં કરાવ્યુ હતું.

નલીયા

> નલિયા કચ્છમાં આવેલું જૈન ધર્મનું તીર્થધામ છે.

> અહીં જૈનધર્મનાં 8માં તીર્થકર ચંદ્રપ્રભુ સ્વામીનું જિનાલય છે, આ જિનાલય 173 વર્ષ પ્રાચીન છે.

> ચંદ્રપ્રભુ સ્વામીનું આ જિનાલયને ‘વીર વસહિની ટૂંક’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તારંગા

> તારંગા મહેસાણા જિલ્લામાં આવેલું જૈન ધર્મનું તીર્થધામ છે.

> અહીં પહાડ પર શ્વેતાંબર સંપ્રદાયનાં પાંચ મંદિરો તથા ચાર દેરીઓ છે.

> દિગંબર સંપ્રદાયનાં પાંચ મંદિર તથા સાત દેરીઓ છે.

> સૌથી વિશાળ અજિતનાથનું દેવાલય અહીં આવેલું છે. જેને બાંધવા માટે કુમારપાળે દંડનાયક અજયને આદેશ આપેલો હતો.

મહુડી

> મહુડી ગાંધીનગર જીલ્લાનાં માણસા તાલુકામાં આવેલું છે.

> અહીં મહાવીર ઘંટાકર્ણ ભગવાનની પુજા કરાય છે.

> અહીં શુદ્ધ ઘીની સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે.

> મહુડી  પ્રાચીનકાળમાં “મધુમતી” અથવા “મધુપૂરી” તરીકે ઓળખાતું.

હઠીસિંહનાં દેરા (અમદાવાદ)

> અમદાવાદનાં દિલ્લી દરવાજા વિસ્તારમાં આવેલા હથિસિંહનાં દેરા જૈન ધર્મનાં 15માં તીર્થકર ધર્મનાથ ને સમર્પિત છે.

> આ દેરાનું નિર્માણ ઇ.સ 1848માં કરવામાં આવ્યું હતું.

> આ દેરાનાં નિર્માણ માટે અમદાવાદનાં શેઠ હઠીસિંહે 10 લાખનું દાન આપેલું હતું.  

Read More

👉 ગોળમેજી પરિષદ
👉 ભારતના ગવર્નર, ગવર્નર જનરલ, વાઇસરોય અને તેના કાર્યો
👉 સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત
👉 હિન્દ છોડો આંદોલન અને ગુજરાત
👉 1857 નો વિપ્લવ અને ગુજરાત

jain dharm in gujarati માહિતી તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો ને શેર અવશ્ય કરજો.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!