Kundanika Kapadia : સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર પ્રાપ્ત પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કુંદનિકા કાપડિયાનો પરિચય અહીં આપવામાં આવ્યો છે.
કુંદનિકા કાપડિયા નો પરિચય
જન્મ : | 11 જાન્યુઆરી, 1927 |
જન્મ સ્થળ : | લીંબડી |
ઉપનામ: | સ્નેહધન |
પ્રથમ રચના: | પ્રેમના આંસુ (વાર્તા) |
અવસાન : | 30 એપ્રિલ 2020 |
ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર કુંદનિકા કાપડિયાનો જન્મ : 11 જાન્યુઆરી, 1927 ના રોજ લીંબડી (સુરેન્દ્રનગર) માં થયો હતો. કુંદનિકા કાપડિયાનું ઉપનામ ‘સ્નેહધન’ છે. તેમના લગ્ન સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર મકરંદ દવે સાથે થયા હતા.
તેમની પ્રથમ રચના ‘પ્રેમના આંસુ (વાર્તા)’ હતી તેઓ વર્ષ 1955 થી 1957 સુધી ‘યાત્રિક’ અને વર્ષ 1962 થી 1980 સુધી ‘નવનીત’ સામયિકોના સંપાદક રહ્યા હતા.
તમને વર્ષ 1958માં નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ માટે દિલ્લી સાહિત્ય અકાદમી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ સાહિત્ય અકાદમી, દિલ્લી પુરસ્કાર પ્રાપ્ત પ્રથમ ગુજરાતી મહિલા સાહિત્યકાર છે.
તમણે મકરંદ દવે સાથે મળીને વલસાડ ખાતે ‘નંદીગ્રામ’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.
તેમનું નિધન 30 એપ્રિલ 2020ના રોજ વલસાડ ખાતે થયું હતું.
કુંદનિકા કાપડિયાનું સાહિત્ય સર્જન
નવલિકા : સાત પગલાં આકાશમાં, પરોઢ થતા પહેલા, અગનપિપાસા
વાર્તાસંગ્રહ : પ્રેમના આંસુ, કાગળની હોડી, જવા દઇશું તમને
નિબંધ : દ્વાર અને દીવાલ, ચંદ્ર તારા વૃક્ષ વાદળ
પ્રાથના સંગ્રહ : પરમ સમીપે
આ પણ વાંચો :
- ગુજરાતી સાહિત્યકારો
- ગુજરાતી સાહિત્યકાર અને તેના તખલ્લુસ
- ગુજરાતી સાહિત્યના અમર પાત્રો
- ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ક્રુતિ
Kundanika Kapadia : અહીં આપેલ ગુજરાતી સાહિત્યકાર કુંદનિકા કાપડિયાનો પરિચય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.